ગૃહ મંત્રાલય

કેટલીક શ્રેણી સિવાય ભારતમાં આવતાં અને ભારતમાંથી બહાર જતાં મુસાફરોની આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી ઉપર પ્રતિબંધ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી વિદેશીઓને આપવામાં આવેલા તમામ પ્રવર્તમાન વીઝા મોકુફ રહેશે

Posted On: 05 MAY 2020 8:00PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારી ચાલુ રહેવાના કારણે કેન્દ્રીય ગૃહ બાબતોના મંત્રાલયે 17.04.2020ના રોજ વિદેશીઓને આપવામાં આવેલા તમામ વીઝા મોકુફ રાખવાનો નિર્ણય ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે રાજદ્વારી અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પ્રોજેક્ટની શ્રેણીમાં આવતાં લોકોને 3 મે, 2020 સુધી નિર્ણય લાગુ પડશે નહીં. (https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615500)

બાબત ઉપર પુનઃવિચારણાં હાથ ધરાતાં હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભારત સરકાર દ્વારા ભારતમાં આવતાં કે ભારતમાંથી બહાર જતાં મુસાફરોનો આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી ઉપર પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે ત્યાં સુધી રાજદ્વારી અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પ્રોજેક્ટ શ્રેણીના વ્યક્તિઓ સિવાય વિદેશી નાગરિકોને આપવામાં આવેલા તમામ પ્રવર્તમાન વીઝા મુલતવી રહેશે.

સત્તાવાર આદેશ જોવા માટે અહીં કલિક કરો

 

GP/DS



(Release ID: 1621306) Visitor Counter : 221