નાગરિક ઉડ્ડયન મંત્રાલય

કોવિડ-19 સામે ભારતની લડાઇમાં સહકાર આપવા લાઇફલાઇન ઉડાનના કોરોના યોદ્ધાઓ અનંત ઉર્જા સાથે અવિરત કામ કરી રહ્યા છે


આજદિન સુધીમાં 330 ફ્લાઇટમાં કુલ 551 ટન તબીબી સામાનનું પરિવહન કર્યું

Posted On: 22 APR 2020 6:01PM by PIB Ahmedabad

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કોવિડ-19 સામેની ભારતની લડાઇમાં સહકાર આપવા માટે દેશના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં આવશ્યક તબીબી સામાન પહોંચાડવા માટે લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવે છે. લાઇફલાઇન ઉડાનના તમામ કોરોના યોદ્ધા અધિકારીઓ, સ્ટાફ અને ગ્રાઉન્ડ લેવલના કામદારો તેમજ મુખ્ય હિતધારકો કોવિડ-19 સામેની લડાઇમાં સહકાર આપવા માટે અનંત ઉર્જા સાથે અવિરત કામ કરી રહ્યા છે.

 

એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 330 ફ્લાઇટ્સ ચલાવવામાં આવી છે. આમાંથી 200 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 551.79 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા અત્યાર સુધીમાં 3,27,623 કિલોમીટર હવાઇ અંતર કાપવામાં આવ્યું છે.

 

લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સની તારીખ અનુસાર વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

 

અનુક્રમ નંબર

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

ઇન્ડિગો

સ્પાઇસજેટ

કુલ

1

26.3.2020

2

-

-

-

2

4

2

27.3.2020

4

9

1

-

-

14

3

28.3.2020

4

8

-

6

-

18

4

29.3.2020

4

9

6

-

-

19

5

30.3.2020

4

-

3

-

-

7

6

31.3.2020

9

2

1

-

-

12

7

01.4.2020

3

3

4

-

-

10

8

02.4.2020

4

5

3

-

-

12

9

03.4.2020

8

-

2

-

-

10

10

04.4.2020

4

3

2

-

-

9

11

05.4.2020

-

-

16

-

-

16

12

06.4.2020

3

4

13

-

-

20

13

07.4.2020

4

2

3

-

-

9

14

08.4.2020

3

-

3

-

-

6

15

09.4.2020

4

8

1

-

-

13

16

10.4.2020

2

4

2

-

-

8

17

11.4.2020

5

4

18

-

-

27

18

12.4.2020

2

2

-

-

-

4

19

13.4.2020

3

3

3

-

-

9

20

14.4.2020

4

5

4

-

-

13

21

15.4.2020

2

5

-

-

-

7

22

16.4.2020

9

-

6

-

-

15

23

17.4.2020

4

8

-

-

-

12

24

18.4.2020

5

-

9

-

-

14

25

19.4.2020

4

-

9

-

-

13

26

20.4.2020

8

4

3

-

-

15

27

21.4.2020

4

-

10

-

-

14

 

કુલ

112

88

122

6

2

330

 

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે. પવન હંસ હેલિકોપ્ટર્સમાં 21 એપ્રિલ 2020 સુધીમાં 6537 કિમી અંતર કાપીને 1.90 ટન માલસામાનની ડિલિવરી કરવામાં આવી છે.

સ્થાનિક લાઇફલાઇન ઉડાન કાર્ગોમાં કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ, તબીબી ઉપકરણો, પરીક્ષણની કીટ્સ, વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE), માસ્ક, હાથમોજાં અને HLL અને ICMRની અન્ય સામગ્રી તેમજ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની જરૂરિયાત અનુસાર સામાન અને પોસ્ટલ પેકેટ્સ સમાવવામાં આવે છે.

પૂર્વોત્તરના પ્રદેશો, ટાપુ વિસ્તારો અને પર્વતીય વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર અને અન્ય ટાપુ વિસ્તારો માટે શરૂઆતથી જોડાણ કર્યું છે.

સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ સ્પાઇસજેટ, બ્લુ ડાર્ટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 21 એપ્રિલ 2020 દરમિયાન 447 કાર્ગો વિમાનો ઉડાડીને 7,12,323 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 3695 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 154 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું હતું. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 21 એપ્રિલ 2020 દરમિયાન 160 સ્થાનિક ઉડાન દ્વારા 1,58,684 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 2573 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3થી 21 એપ્રિલ દરમિયાન 6 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સહિત 35 કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 42,752 કિમીનું અંતર કાપીને 84 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. આમાં સરકાર માટે વિનામૂલ્યે તબીબી માલસામાન લઇ જવામાં આવે છે તે પણ સામેલ છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર-

ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-19 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે પૂર્વ એશિયા સાથે કાર્ગો એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે જેમાં તારીખ અનુસાર તબીબી સામાનનું પરિવહન કરવામાં આવ્યું તેની વિગતો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

 

અનુક્રમ નંબર

તારીખ

પ્રસ્થાન સ્થળ

જથ્થો (ટન)

1

04.4.2020

શાંઘાઇ

21

2

07.4.2020

હોંગકોંગ

06

3

09.4.2020

શાંઘાઇ

22

4

10.4.2020

શાંઘાઇ

18

5

11.4.2020

શાંઘાઇ

18

6

12.4.2020

શાંઘાઇ

24

7

14.4.2020

હોંગકોંગ

11

8

14.4.2020

શાંઘાઇ

22

9

16.4.2020

શાંઘાઇ

22

10

16.4.2020

હોંગકોંગ

17

11

16.4.2020

સિઓલ

05

12

17.4.2020

શાંઘાઇ

21

13

18.4.2020

શાંઘાઇ

17

14

18.4.2020

સિઓલ

14

15

18.4.2020

ગુઆંગઝોહુ

04

16

19.4.2020

શાંઘાઇ

19

17

20.4.2020

શાંઘાઇ

26

18

21.4.2020

શાંઘાઇ

19

19

21.4.2020

હોંગકોંગ

16

 

 

કુલ

322

 

એર ઇન્ડિયાએ 15 એપ્રિલ 2020ના રોજ કૃષિ ઉડાન કાર્યક્રમ અંતર્ગત મુંબઇ અને ફ્રેન્કફર્ટ વચ્ચે તેમની બીજી ફ્લાઇટ ચલાવી હતી જેમાં 27 ટન મોસમી ફળ અને શાકભાજીનો જથ્થો ફ્રેન્કફર્ટ લઇ જવામાં આવ્યો હતો અને વળતી ઉડાનમાં સામાન્ય માલસામાનનો 10 ટનનો જથ્થો લાવવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાએ પ્રથમ કૃષિ ઉડાન ફ્લાઇટ 13 એપ્રિલના રોજ મુંબઇ અને લંડન વચ્ચે ચલાવી હતી જેમાં 28.95 ટન ફળ અને શાકભાજીનો જથ્થો લઇ જવામાં આવ્યો હતો અને 15.6 ટન સામગ્રીનો જથ્થો લાવવામાં આવ્યો હતો.

એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો અન્ય દેશોમાં વાયુ માર્ગે લઇ જવા માટે સમયપત્રક અનુસાર સમર્પિત કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરશે. એર ઇન્ડિયા આવી પહેલી ફ્લાઇટ 15 એપ્રિલ 2020ના રોજ દિલ્હી- સેચેલ્સ- મોરેશિયસ- દિલ્હી વચ્ચે ચલાવી હતી જેમાં તબીબી પૂરવઠા માટે 3.4 ટન જથ્થો સેચેલ્સ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને 12.6 ટન માલસામાન મોરેશિયસ લઇ જવામાં આવ્યો હતો.

 

GP/DS



(Release ID: 1617300) Visitor Counter : 209