નાગરિક ઉડ્ડયન મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઇ વધુ મજબૂત કરવા માટે લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સે 2,87,061 કિમી અંતર કાપ્યું


પૂર્વોત્તર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ટાપુઓમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાઓ

Posted On: 19 APR 2020 2:22PM by PIB Ahmedabad

લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 288 ફ્લાઇટ્સ અત્યાર સુધીમાં ચલાવવામાં આવી છે. આમાંથી 180 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં આજની તારીખ સુધીમાં અંદાજે 479.55 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા આજની તારીખ સુધીમાં કુલ 2,87,061 કિમી થી વધુ અંતર કાપવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને છેવાડાના પ્રદેશો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારાલાઇફલાઇન ઉડાનઅંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે.

પવન હંસ હેલિકોપ્ટર્સમાં 18 એપ્રિલ 2020 સુધીમાં 6265 કિમી અંતર કાપીને 1.86 ટન માલસામાન પહોંચાડવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. સ્થાનિક લાઇફલાઇન ઉડાન કાર્ગોમાં કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ, તબીબી ઉપકરણો, પરીક્ષણની કીટ્સ, વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE), માસ્ક, હાથમોજાં અને HLL અને ICMRની અન્ય સામગ્રી તેમજ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની જરૂરિયાત અનુસાર સામાન અને પોસ્ટલ પેકેટ્સ સમાવવામાં આવે છે.

 

પૂર્વોત્તરના પ્રદેશો, ટાપુ વિસ્તારો અને પર્વતીય વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર અને અન્ય ટાપુ વિસ્તારો માટે શરૂઆતથી જોડાણ કર્યું છે.

સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ સ્પાઇસજેટ, બ્લુ ડાર્ટ અને ઇન્ડિગો દ્વારા વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરવામાં આવે છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 18 એપ્રિલ 2020 દરમિયાન 410 કાર્ગો વિમાનોનું પરિચાલન કરીને 6,00,261 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 3270 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 128 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 18 એપ્રિલ 2020 દરમિયાન 141 સ્થાનિક ઉડાન દ્વારા 1,39,179 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 2241 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3થી 18 એપ્રિલ દરમિયાન 31 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 32,290 કિમીનું અંતર કાપીને 48 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. આમાં સરકાર માટે વિનામૂલ્યે તબીબી માલસામન લઇ જવામાં આવે છે તે પણ સામેલ છે.

 

આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર : ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-19 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે પૂર્વ એશિયા સાથે કાર્ગો એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે જેમાં તારીખ અનુસાર તબીબી સામાનનું પરિવહન કરવામાં આવ્યું તેની વિગતો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

 

અનુક્રમ નંબર

તારીખ

પ્રસ્થાન સ્થળ

જથ્થો (ટન)

1

04.4.2020

શાંઘાઇ

21

2

07.4.2020

હોંગકોંગ

06

3

09.4.2020

શાંઘાઇ

22

4

10.4.2020

શાંઘાઇ

18

5

11.4.2020

શાંઘાઇ

18

6

12.4.2020

શાંઘાઇ

24

7

14.4.2020

હોંગકોંગ

11

8

14.4.2020

શાંઘાઇ

22

9

16.4.2020

શાંઘાઇ

22

10

16.4.2020

હોંગકોંગ

17

11

16.4.2020

સીઓલ

05

12

17.4.2020

શાંઘાઇ

21

13

18.4.2020

શાંઘાઇ

17

14

18.4.2020

સીઓલ

14

15

18.4.2020

ગુઆંગઝોહુ

04

 

 

કુલ

242

 

દક્ષિણ એશિયામાં, એર ઇન્ડિયા દ્વારા 7 એપ્રિલ 2020ના રોજ 9 ટન માલ જ્યારે 8 એપ્રિલ 2020ના રોજ 4 ટન માલનું પરિવહન કોલંબો ખાતે કરવામાં આવ્યું હતું.

 

એર ઇન્ડિયા દ્વારાકૃષિ ઉડાનકાર્યક્રમ અંતર્ગત મુંબઇથી ફ્રેન્કફર્ટ અને મુંબઇથી લંડન એમ બે ફ્લાઇટ ચલાવવામાં આવી છે જેમાં મોસમી ફળ અને શાકભાજીનો જથ્થો મુંબઇથી ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યો હતો જ્યારે વળતી ફ્લાઇટમાં સામાન્ય માલસામાન લાવવામાં આવ્યો છે. એર ઇન્ડિયાએ 15 એપ્રિલ 2020ના રોજ દિલ્હી- સેચેલ્સ- મોરેશિયસ- દિલ્હી વચ્ચે ચલાવી હતી જેમાં તબીબી પૂરવઠો લઇ જવામાં આવ્યો હતો.

 

GP/DS



(Release ID: 1616059) Visitor Counter : 179