પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ RBI દ્વારા આજે જાહેર કરવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી; પ્રધાનમંત્રીએ કહ્યું – આનાથી નાણાંની પ્રવાહિતા વધશે અને ધિરાણ પૂરવઠો સુધરશે

Posted On: 17 APR 2020 2:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ RBI દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે પગલાંથી નાણાંની પ્રવાહિતા વધશે અને ધિરાણ પૂરવઠામાં સુધારો આવશે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “આજે @RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી નાણાંની પ્રવાહિતામાં ખૂબ વધારો થશે અને ધિરાણ પૂરવઠો સુધરશે. પગલાં આપણા નાનાં ઉદ્યોગો, MSME, ખેડૂતો અને ગરીબોને મદદરૂપ થશે. તેનાથી WMA મર્યાદાઓ વધારીને તમામ રાજ્યોને પણ મદદ થશે.”

 

 

GP/DS



(Release ID: 1615367) Visitor Counter : 160