મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે કાયદાકીય મેટ્રોલોજીના ક્ષેત્રમાં સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી

Posted On: 12 JUN 2019 8:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે કાયદાકીય મેટ્રોલોજીના ક્ષેત્રમાં સમજૂતી કરારોને મંજૂરી આપી. આ સમજૂતી કરાર પરજૂન 13-14, 2019થીએસસીઓની સમાંતરે હસ્તાક્ષર કરવામાં આવશે.

 

લાભ:

  • કાયદાકીય મેટ્રોલોજીને લગતા દસ્તાવેજો અને માહિતીનું આદાન-પ્રદાન
  • કાયદાકીય મેટ્રોલોજીના વિષય સાથે સંકળાયેલ અધિકારીઓ અને બિન અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું
  • કાયદાકીય મેટ્રોલોજીના ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ માટે અધિકારીઓ, નિષ્ણાતો અને વ્યાવસાયિકોનું આદાન-પ્રદાન
  • પારસ્પરિક હિતના ક્ષેત્રમાં જરૂર મુજબ સેમિનારો, કાર્યશાળાઓ, બેઠકો, અટેચમેન્ટ લર્નિંગ પ્રોગ્રામ વગેરેમાં ભાગીદારી
  • પ્રિ પેકેજ્ડ સામાનમાટેનીજરૂરિયાત વિકસાવવીઅને પ્રિ પેકેજ્ડ સામાનનીરાજ્ય મેટ્રોલોજીકલ દેખરેખ હાથ ધરવી
  • પ્રિ પેકેજ્ડ સામાન ઉપર નિયમો કાયદા કાનૂનોના દરજ્જાની સમીક્ષા કરવી
  • ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે પારસ્પરિક સમજુતીમાં મેટ્રોલોજીકલ દેખરેખ હાથ ધરવા માટે અનુભવનું આદાન-પ્રદાન

 

 

J.Khunt/RP



(Release ID: 1574165) Visitor Counter : 211