ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ 'વંદે માતરમ'ના 150 વર્ષ નિમિત્તે સાંસદોની 'હર ઘર તિરંગા' બાઇક રેલીને લીલી ઝંડી આપી
હર ઘર તિરંગા એક જન આંદોલન બની ગયું છે, તે વંદે માતરમની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે: ઉપરાષ્ટ્રપતિ
વંદે માતરમે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને રાષ્ટ્રીય ફરજમાં બદલી નાખ્યો: ઉપરાષ્ટ્રપતિ
प्रविष्टि तिथि:
12 AUG 2026 11:03AM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂરા થવાના અવસરે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતેથી સાંસદો અને અન્ય લોક પ્રતિનિધિઓ સાથેની 'હર ઘર તિરંગા' બાઇક રેલીને લીલી ઝંડી બતાવી હતી.
આ રેલી રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને નાગરિક ભાગીદારીનો સંદેશ લઈને ભારત મંડપમથી મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ સુધી આગળ વધી હતી.
ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે, વંદે માતરમે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને રાષ્ટ્રીય ફરજમાં બદલી નાખ્યો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામની ભાવનાનું એક શક્તિશાળી અભિવ્યક્તિ બન્યું. તેમણે યાદ કર્યું કે કેવી રીતે તેમના અમર શબ્દોએ અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓને હિંમત, સમર્પણ અને આશાથી પ્રેરિત કર્યા હતા.
અંદામાન અને નિકોબાર ટાપુઓની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતાં, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ અને ઐતિહાસિક સેલ્યુલર જેલની તેમની મુલાકાત ખૂબ જ સ્પર્શક રહી હતી. તેમણે 1943માં નેતાજી દ્વારા તિરંગો લહેરાવવાની ઘટના અને સેલ્યુલર જેલમાં કેદ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા, જેમાંથી ઘણા વંદે માતરમના નારા સાથે ફાંસીના માચે ચડી ગયા હતા.
આંદામાન અને નિકોબાર ટાપુઓની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ અને ઐતિહાસિક સેલ્યુલર જેલની તેમની મુલાકાત ખૂબ જ હૃદયસ્પર્શી રહી હતી. તેમણે 1943માં નેતાજી દ્વારા તિરંગો લહેરાવવાની અને સેલ્યુલર જેલમાં કેદ થયેલા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યું, જેમાંથી ઘણા વંદે માતરમના નારા સાથે ફાંસીના માંચડે ચડ્યા હતા.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ની દેશવ્યાપી અસર પર પ્રકાશ પાડતાં શ્રી સી. પી. રાધાકૃષ્ણને તમિલનાડુના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓના યોગદાન તથા બલિદાનોને યાદ કર્યા, જેમાં વી. ઓ. ચિદમ્બરમ પિલઇ, સુબ્રમણિયા શિવા, તિરુપ્પુર કુમારન અને વાંચીનાથનનો સમાવેશ થાય છે. તેમણે રાષ્ટ્રીય કવિ સુબ્રમણ્ય ભારતીને પણ યાદ કર્યા, જેમણે ‘વંદે માતરમ્’ની ભાવના અને સંદેશને જન-જન સુધી પહોંચાડ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2022માં શરૂ કરવામાં આવેલું 'હર ઘર તિરંગા અભિયાન' એક જન આંદોલનમાં ફેરવાઈ ગયું છે, જેમાં નાગરિકો તિરંગા યાત્રાઓ, બાઇક અને સાઇકલ રેલીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તિરંગો એક માતૃભૂમિની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે અને સાંસદો તથા લોકપ્રતિનિધિઓને તેમના મતવિસ્તારોમાં આ અભિયાનને પ્રોત્સાહિત કરવા અને નાગરિકોને ગૌરવ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવા પ્રેરિત કરવા વિનંતી કરી હતી.
કેન્દ્રીય મંત્રીઓ શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, શ્રી રાજીવ રંજન સિંહ, શ્રી વીરેન્દ્ર કુમાર, શ્રી જી. કિશન રેડ્ડી, શ્રી કિરેન રિજિજુ અને શ્રી જીતેન્દ્ર સિંહની સાથે સાંસદો અને અન્ય લોકપ્રતિનિધિઓએ રેલીમાં ભાગ લીધો હતો.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2298055)
आगंतुक पटल : 31