સંસદીય બાબતોનું મંત્રાલય
આજે રાજકીય પક્ષોના નેતાઓ સાથે સરકારની બેઠક યોજાઈ
40 રાજકીય પક્ષોના 58 નેતાઓએ બેઠકમાં હાજરી આપી
प्रविष्टि तिथि:
19 JUL 2026 4:20PM by PIB Ahmedabad
આગામી ચોમાસુ સત્ર, 2026 ને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે (19 જુલાઈ, 2026) સંસદ ભવન સંકુલ, નવી દિલ્હી ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ રાજકીય પક્ષોના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ દ્વારા બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા, જેઓ રાજ્યસભામાં ગૃહના નેતા પણ છે, કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ તથા સંસદીય બાબતો અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ મળીને, આ બેઠકમાં મંત્રીઓ સહિત 40 રાજકીય પક્ષોના 58 નેતાઓએ ભાગ લીધો હતો.

શરૂઆતમાં, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે પ્રસ્તાવિક પ્રવચન આપ્યું હતું અને બેઠકમાં ઉપસ્થિત તમામ નેતાઓનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ, સંસદીય બાબતોના મંત્રીએ બેઠકનું સંચાલન કર્યું હતું. તેમણે નેતાઓને માહિતી આપી હતી કે સંસદનું ચોમાસુ સત્ર, 2026 સોમવાર, 20 જુલાઈ, 2026ના રોજ શરૂ થશે અને સરકારી કામકાજની તાકીદને આધીન, આ સત્ર ગુરુવાર, 13 ઓગસ્ટ, 2026ના રોજ સમાપ્ત થઈ શકે છે. આ સત્ર 25 દિવસના ગાળામાં કુલ 19 બેઠકો (સિટિંગ્સ) પ્રદાન કરશે.



શ્રી રિજીજુએ વધુમાં જણાવ્યું હતું કે આગામી ચોમાસુ સત્ર માટેનું વિધાયક કામકાજ સંસદના બંને સચિવાલયો દ્વારા 16 જુલાઈ, 2026ના રોજ બુલેટિન ભાગ-II માં અગાઉથી જ પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમણે સંસદની સરળ કામગીરી માટે તમામ નેતાઓને તેમના સહકાર માટે વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે સરકાર સંસદના બંને ગૃહોના પ્રક્રિયાના નિયમો હેઠળ પરવાનગી મુજબ ગૃહોના ફ્લોર પર અન્ય કોઈપણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ સંસદના આગામી ચોમાસુ સત્ર દરમિયાન તેમના દ્વારા ઉઠાવવામાં આવનારા વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને સરકારને સહકાર આપવાની ખાતરી આપી હતી. સંસદીય બાબતોના મંત્રીએ નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓની નોંધ લીધી હતી અને બેઠકમાં હાજર રહેવા, પોતાના વિચારો વ્યક્ત કરવા તેમજ તેમની સક્રિય અને અસરકારક ભાગીદારી બદલ તમામ નેતાઓનો આભાર માન્યો હતો.
અંતમાં, શ્રી રાજનાથ સિંહે બેઠકમાં હાજર રહેવા, પોતાના વિચારો વ્યક્ત કરવા અને તેમની સક્રિય તેમજ અસરકારક ભાગીદારી બદલ તમામ નેતાઓનો આભાર માન્યો હતો.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2286310)
आगंतुक पटल : 31