પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારનું સ્વાગત કર્યું
प्रविष्टि तिथि:
15 JUN 2026 1:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલી સમજૂતીને આવકારી છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ સંઘર્ષના કારણે સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક વિક્ષેપ ઊભો થયો છે અને ઘણા દેશોમાં જાનહાનિ થઈ છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ સમજૂતીના અમલીકરણથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે અને નેવિગેશન તથા વાણિજ્યની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે.
શ્રી મોદીએ એમ પણ કહ્યું કે ભારત બાકીના મુદ્દાઓ પરની ચર્ચાઓ એક ટકાઉ અંતિમ કરાર સુધી પહોંચે તેની રાહ જોઈ રહ્યું છે.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“હું પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલી સમજૂતીને આવકારું છું, જેના કારણે સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક વિક્ષેપ ઊભો થયો છે અને ઘણા દેશોમાં જાનહાનિ થઈ છે.
ભારત આશા રાખે છે કે આ સમજૂતીના અમલીકરણથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે અને નેવિગેશન તથા વાણિજ્યની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે.
અમે બાકીના મુદ્દાઓ પરની ચર્ચાઓ એક ટકાઉ અંતિમ કરાર સુધી પહોંચે તેની રાહ જોઈ રહ્યા છીએ.”
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2272909)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam