રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

કાઝીપેટ રેલ ઉત્પાદન યુનિટ પૂર્ણ થવાના આરે છે અને તે ઇન્ટરસિટી ટ્રેનોનું ઉત્પાદન શરૂ કરશે: રેલવે મંત્રી, શ્રી અશ્વિની વૈષ્ણવ

પોસ્ટેડ ઓન: 28 MAY 2026 3:59PM by PIB Ahmedabad

ભારતીય રેલવેનું કાઝીપેટ રેલ ઉત્પાદન યુનિટ (રેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ) પૂર્ણ થવાના આરે છે. એક બહુમુખી રેલવે રોલિંગ સ્ટોક ઉત્પાદન યુનિટ છે. શરૂઆતમાં, કાઝીપેટ આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનોનું ઉત્પાદન કરશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ આજે ​​વરિષ્ઠ અધિકારીઓ સાથે કાઝીપેટ રેલ ઉત્પાદન યુનિટને કાર્યરત કરવાની યોજનાઓની સમીક્ષા કરી હતી.

ટ્રેનો ટૂંકા અંતરની મુસાફરી માટે દેશભરમાં તૈનાત કરવામાં આવશે. તેમાં વારંવાર સ્ટોપેજ (રોકાણ) હશે. ટ્રેનો સામાન્ય રીતે અંદાજે 300 કિમી સુધી ચાલશે. દરેક ટ્રિપમાં ઘણા સ્ટોપેજ હશે જેથી નાગરિકો નગરો અને શહેરો વચ્ચે અવરજવર કરી શકે. પછી ભલે તે નજીકના નગરોમાં ઉચ્ચ શિક્ષણ માટે જતા વિદ્યાર્થીઓ હોય, અથવા તેમની આરોગ્ય અને કામકાજની જરૂરિયાતો માટે અવરજવર કરતા સામાન્ય લોકો હોય.

ટ્રેનો લોકોને ઇન્ટરસિટી મુસાફરી માટે એક નવો સસ્તો વિકલ્પ આપશે. ઇન્ટરસિટી ટ્રેનો સમગ્ર ભારતમાં નજીકના નગરોને જોડતી શટલ સેવાઓ જેવી હશે. ટ્રેનોના ઉત્પાદન સાથે, સ્થાનિક ટ્રાફિકનો મોટો હિસ્સો રોડ પરથી રેલવે તરફ વળે તેવી શક્યતા છે.

ઇન્ટરસિટી ટ્રેનો ઓટોમેટિક ડોર ક્લોઝિંગ (દરવાજા આપમેળે બંધ થવા), શ્રેષ્ઠ વેન્ટિલેશન અને 20-કોચના કોન્ફિગરેશન સાથે સુરક્ષિત કોચ ડિઝાઇન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. દરેક કોચમાં બે શૌચાલય હશે, જે બંને છેડે એક-એક હશે.

ઉપરાંત, ઇન્ટરસિટી ટ્રેનોમાં આધુનિક જર્ક-ફ્રી (આંચકા રહિત) કપલર્સ અને બોગી હશે. ટ્રેનોને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવા માટે ડિઝાઇન કરવામાં આવશે.

ટ્રેનોમાં રિજનરેટિવ બ્રેકિંગ પણ હશે. તેનો અર્થ છે કે જ્યારે ટ્રેન બ્રેક લગાવશે, ત્યારે તે વીજળીનું જનરેટર બનશે અને પુનઃઉત્પાદિત વીજળીને પાછી ગ્રીડમાં મોકલશે. તેથી, તે ઊર્જા કાર્યક્ષમ છે. પરિવહનનું વધુ હરિયાળું માધ્યમ છે અને રોડ પરિવહનની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરશે.

રેલવે દ્વારા આટલા મોટા કાફલાની રજૂઆતથી દેશભરમાં ગ્રીન અને ક્લીન ટ્રાન્સપોર્ટ (હરિયાળા અને સ્વચ્છ પરિવહન) ક્ષમતામાં વધારો થશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2266269) મુલાકાતી સંખ્યા : 14