પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બહેરીનના રાજા સાથે વાત કરી
PM એ ઈદના મુબારકબાદ પાઠવ્યા અને ઉર્જા તથા નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાની નિંદા કરી
પોસ્ટેડ ઓન:
20 MAR 2026 7:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બહેરીનના રાજા, મહામહિમ રાજા હમદ બિન ઈસા અલ ખલીફા સાથે તહેવારની શુભેચ્છાઓની આપ-લે કરવા અને પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓ પર ચર્ચા કરવા માટે ફળદાયી ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ મહામહિમ રાજા હમદ બિન ઈસા અલ ખલીફા સાથે વાત કરી અને તેમને તથા બહેરીનના લોકોને ઈદ-ઉલ-ફિત્રના અવસરે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ પશ્ચિમ એશિયા ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
PM મોદીએ ઉર્જા અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓની નિંદા કરી હતી, અને વૈશ્વિક ખાદ્ય, બળતણ અને ખાતરની સુરક્ષા પર તેમની વિપરીત અસર પર ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા અને શિપિંગ લાઈનોને ખુલ્લી અને સુરક્ષિત રાખવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ બહેરીનમાં ભારતીય સમુદાયના કલ્યાણ માટે તેમના સતત સમર્થન બદલ મહામહિમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"બહેરીનના રાજા, મહામહિમ રાજા હમદ બિન ઈસા અલ ખલીફા સાથે ફળદાયી ચર્ચા થઈ. તેમને અને બહેરીનના લોકોને ઈદ-ઉલ-ફિત્રના અવસરે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
અમે પશ્ચિમ એશિયા ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી. આ ક્ષેત્રમાં ઉર્જા અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓની નિંદા કરી, અને વૈશ્વિક ખાદ્ય, બળતણ અને ખાતરની સુરક્ષા પર તેમની વિપરીત અસર પર ભાર મૂક્યો.
નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા અને શિપિંગ લાઈનોને ખુલ્લી અને સુરક્ષિત રાખવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો.બહેરીનમાં ભારતીય સમુદાયના કલ્યાણ માટે તેમના સતત સમર્થન બદલ મહામહિમનો આભાર માન્યો."
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2243172)
મુલાકાતી સંખ્યા : 81
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam