પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી મણિશંકર મુખોપાધ્યાયજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 20 FEB 2026 7:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મણિશંકર મુખોપાધ્યાયજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ તેમને બંગાળી સાહિત્યના એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ તરીકે બિરદાવ્યા હતા જેમના શબ્દોએ સંવેદનશીલતા અને આંતરદ્રષ્ટિ સાથે લોકોના જીવનનું નિરૂપણ કર્યું હતું.

X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

“શ્રી મણિશંકર મુખોપાધ્યાયજી, જેઓ પ્રેમથી શંકર તરીકે ઓળખાતા હતા, તેમના અવસાનથી ઊંડો શોક થયો છે.

તેઓ બંગાળી સાહિત્યના એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ હતા જેમના શબ્દોએ સંવેદનશીલતા અને આંતરદ્રષ્ટિ સાથે લોકોના જીવનનું નિરૂપણ કર્યું હતું. તેમની અવિસ્મરણીય કૃતિઓ દ્વારા, તેમણે વાચકોની પેઢીઓને પ્રભાવિત કરી અને ભારતના સાહિત્ય જગતને સમૃદ્ધ બનાવ્યું.

તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.”

 

“শ্রী মণি শঙ্কর মুখোপাধ্যায়-যিনি শংকর নামে  বিখ্যাত- এর প্রয়াণে গভীরভাবে শোকাহত ।

বাংলা সাহিত্যের এক উজ্জ্বল নক্ষত্র হিসেবে তিনি মানুষের জীবনকে অসাধারণ সংবেদনশীলতা ও অন্তর্দৃষ্টির সঙ্গে তাঁর লেখায় তুলে ধরেছেন। তাঁর অবিস্মরণীয় সৃষ্টি, বিভিন্ন প্রজন্মের পাঠককে প্রভাবিত  এবং ভারতের সাহিত্যভাণ্ডারকে সমৃদ্ধ করেছে।

তাঁর পরিবার, বন্ধু ও অসংখ্য অনুরাগীর প্রতি আমার আন্তরিক সমবেদনা রইল। ওঁ শান্তি।”

 

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2230908) મુલાકાતી સંખ્યા : 7