પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 13 ફેબ્રુઆરીના રોજ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને 2નું ઉદ્ઘાટન કરશે
આ ઉદ્ઘાટન ભારતના વહીવટી શાસન સ્થાપત્યમાં એક મોટો ફેરફાર દર્શાવે છે
સેવા તીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય આવેલા છે
કર્તવ્ય ભવન-1 અને 2માં નાણા, સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ અને અન્ય સહિત અનેક મુખ્ય મંત્રાલયો આવેલા છે
પોસ્ટેડ ઓન:
12 FEB 2026 12:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે 1:30 વાગ્યે સેવા તીર્થ ભવનનું નામકરણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ઔપચારિક રીતે સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને 2નું ઉદ્ઘાટન કરશે અને સાંજે 6 વાગ્યે સેવા તીર્થ ખાતે એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે.
આ ઉદ્ઘાટન ભારતના વહીવટી શાસન સ્થાપત્યમાં એક મોટું પરિવર્તન દર્શાવે છે અને આધુનિક, કાર્યક્ષમ, સુલભ અને નાગરિક-કેન્દ્રિત શાસન ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
દાયકાઓથી, સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારમાં અનેક સ્થળોએ ફેલાયેલા જૂના અને જર્જરિત મકાનોમાં ઘણી મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ અને મંત્રાલયો કાર્યરત હતા. આ વિખેરાયેલ વ્યવસ્થાના કારણે કાર્યવ્યવસ્થામાં ઘટાડો, સંકલન પડકારો, વધતા જાળવણી ખર્ચ અને નબળા કાર્યકારી વાતાવરણનો સામનો કરવો પડ્યો. નવીન ઇમારત સંકુલ આધુનિક, ભવિષ્ય માટે તૈયાર સુવિધાઓમાં વહીવટી કાર્યોને એકીકૃત કરીને આ મુદ્દાઓને સંબોધિત કરે છે.
સેવા તીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય છે જે અગાઉ અલગ અલગ સ્થળોએ સ્થિત હતા.
કર્તવ્ય ભવન-1 અને 2માં નાણાં મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કોર્પોરેટ બાબતોનું મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, કાયદો અને ન્યાય મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, રસાયણો અને ખાતર મંત્રાલય અને આદિજાતિ બાબતોના મંત્રાલય સહિત અનેક મુખ્ય મંત્રાલયોના કાર્યાલયો આવેલા છે.
બંને બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં ડિજિટલી ઇન્ટિગ્રેટેડ ઓફિસો, સ્ટ્રક્ચર્ડ પબ્લિક ઇન્ટરફેસ ઝોન અને સેન્ટ્રલાઇઝ્ડ રિસેપ્શન છે. આ સુવિધાઓ સહયોગ, કાર્યક્ષમતા, સરળ શાસન, નાગરિક ભાગીદારીમાં વધારો અને કર્મચારીઓની સુખાકારીમાં સુધારો કરશે. 4-સ્ટાર GRIHA ધોરણો અનુસાર ડિઝાઇન કરાયેલ, આ કોમ્પ્લેક્સમાં નવીનીકરણીય એનર્જી સિસ્ટમ, જળ-વ્યવસ્થાપનના પગલાં, વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યૂશન અને હાઈ પર્ફોમન્સ બિલ્ડિંગ એન્વલપનો સમાવેશ થાય છે. આ પગલાં પર્યાવરણીય પ્રભાવને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને કાર્યકારી કાર્યક્ષમતામાં વધારો કરે છે. બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ્સ, સર્વેલન્સ નેટવર્ક્સ અને અદ્યતન કટોકટી પ્રતિભાવ માળખા સહિત વ્યાપક સલામતી અને સુરક્ષા માળખાનો પણ સમાવેશ થાય છે, જે અધિકારીઓ અને મુલાકાતીઓ માટે સલામત અને સુલભ વાતાવરણ સુનિશ્ચિત કરે છે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2226878)
મુલાકાતી સંખ્યા : 31
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam