ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભારત માતાના બહાદુર પુત્ર, શહીદ ઉધમ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
એક તરફ અમર શહીદ ઉધમ સિંહે જલિયાંવાલા બાગમાં પોતાના દેશવાસીઓની શહાદતનો બદલો લેવા માટે અદમ્ય હિંમત અને બહાદુરી દેખાડી હતી
તેમણે ગદર ચળવળ દ્વારા વિદેશમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામની જ્યોત ફેલાવવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી
તેમની બહાદુરીની ગાથા દેશના યુવાનો માટે માતૃભૂમિ પ્રત્યેની ભક્તિનો અખૂટ સ્ત્રોત છે
प्रविष्टि तिथि:
26 DEC 2025 11:25AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભારત માતાના બહાદુર પુત્ર, શહીદ ઉધમ સિંહજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, “એક તરફ અમર શહીદ ઉધમ સિંહજીએ જલિયાંવાલા બાગમાં પોતાના દેશવાસીઓની શહાદતનો બદલો લેવા માટે અદમ્ય હિંમત અને બહાદુરી દાખવી હતી. બીજી તરફ તેમણે ગદર ચળવળ દ્વારા વિદેશમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામની જ્યોત ફેલાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી. તેમની બહાદુરીની ગાથા દેશના યુવાનો માટે માતૃભૂમિ પ્રત્યેની ભક્તિનો અખૂટ સ્ત્રોત છે. ભારત માતાના બહાદુર પુત્ર, શહીદ ઉધમ સિંહજીને તેમની જન્મજયંતિ પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.”
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2208750)
आगंतुक पटल : 7