પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 11 SEP 2025 8:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ભારતના આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં તેમના અદમ્ય યોગદાનને યાદ કર્યું.

આ દિવસ નિમિત્તે X પર શેર કરાયેલા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમને ભારતના સૌથી આદરણીય આધ્યાત્મિક નેતાઓ, સ્વતંત્રતા સેનાનીઓ અને સમાજ સુધારકોમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે. તેમનું જીવન ગાંધીવાદી આદર્શોને લોકપ્રિય બનાવવા અને વંચિતોને સશક્ત બનાવવા માટે સમર્પિત હતું. તેમના વિચારો આપણને વિકસિત ભારત બનાવવાના પ્રયાસમાં ખૂબ પ્રેરણા આપે છે."

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2165516) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam