પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જેરુસલેમમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની નિંદા કરી

प्रविष्टि तिथि: 08 SEP 2025 9:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જેરુસલેમમાં નિર્દોષ નાગરિકો પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. "ભારત આતંકવાદનાં તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરે છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિમાં અડગ છે", શ્રી મોદીએ જણાવ્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"આજે જેરુસલેમમાં નિર્દોષ નાગરિકો પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમે પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની ઇચ્છા રાખીએ છીએ.

ભારત આતંકવાદનાં તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરે છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિમાં અડગ છે."

@netanyahu

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2164812) आगंतुक पटल : 36
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam