ગૃહ મંત્રાલય
કેન્દ્ર સરકારે આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ જેવા પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે રૂ. 1066.80 કરોડની રકમ રિલીઝ કરવાની મંજૂરી આપી
આ રકમ રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF)માંથી કેન્દ્રીય હિસ્સા તરીકે આપવામાં આવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, આ વર્ષે SDRF/NDRF ભંડોળમાંથી 19 રાજ્યોને રૂ. 8 હજાર કરોડથી વધુની રકમ રિલીઝ કરવામાં આવી
મોદી સરકાર દરેક પરિસ્થિતિમાં રાજ્યોની સાથે મજબૂતીથી ઉભી છે
નાણાકીય સહાય ઉપરાંત, કેન્દ્રએ તમામ પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યોને જરૂરી NDRF ટીમો, સેનાની ટીમો અને વાયુસેના સહાય સહિત તમામ લોજિસ્ટિકલ સપોર્ટ પણ પૂરો પાડ્યો છે
प्रविष्टि तिथि:
10 JUL 2025 4:36PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારે આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ જેવા પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે રૂ. 1066.80 કરોડની રકમ રિલીઝ કરવાને મંજૂરી આપી છે. છ પૂરગ્રસ્ત રાજ્યોમાંથી, આસામને રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માંથી કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 375.60 કરોડ, મણિપુરને રૂ. 29.20 કરોડ, મેઘાલયને રૂ. 30.40 કરોડ, મિઝોરમને રૂ. 22.80 કરોડ, કેરળને રૂ. 153.20 કરોડ અને ઉત્તરાખંડને રૂ. 455.60 કરોડ આપવામાં આવ્યા છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન આ રાજ્યો ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનનો ભોગ બન્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહજીના માર્ગદર્શન હેઠળ, કેન્દ્ર સરકાર પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. મોદી સરકાર દરેક પરિસ્થિતિમાં રાજ્યોની સાથે મજબૂતીથી ઉભી છે.
આ વર્ષે, કેન્દ્રએ પહેલાથી જ 14 રાજ્યોને SDRFમાંથી રૂ. 6166.00 કરોડ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF)માંથી રૂ. 1988.91 કરોડ જાહેર કર્યા છે. આ ઉપરાંત, રૂ. રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળ (SDMF)માંથી 05 રાજ્યોને 726.20 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ (NDMF) માંથી 02 રાજ્યોને 17.55 કરોડ રૂપિયા પણ જારી કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત તમામ રાજ્યોને જરૂરી NDRF ટીમો, સેનાની ટીમો અને વાયુસેનાની સહાય સહિત તમામ લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો છે. વર્તમાન ચોમાસા દરમિયાન, બચાવ અને રાહત કામગીરી માટે 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 104 NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2143759)
आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam