નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ ભારતની સૌર ક્રાંતિ
મફત વીજળી યોજનાએ 10 લાખ ઇન્સ્ટોલેશનના માઈલસ્ટોનને પાર કર્યો
Posted On:
13 MAR 2025 11:52AM by PIB Ahmedabad
પરિચય

પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના (PMSGMBY) વિશ્વની સૌથી મોટી ઘરેલું છત સૌર પહેલ, 10 માર્ચ, 2025 સુધીમાં 10 લાખ ઘરોને સૌર ઉર્જાથી સંચાલિત કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 13 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પરિવર્તનશીલ યોજના ભારતના ઉર્જા પરિદૃશ્યને ઝડપથી ફરીથી આકાર આપી રહી છે. 47.3 લાખ અરજીઓ પ્રાપ્ત થતાં, આ પહેલ દ્વારા 6.13 લાખ લાભાર્થીઓને 4,770 કરોડ રૂપિયાની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી સૌર ઉર્જા પહેલા કરતાં વધુ સુલભ બની છે. આ યોજનાના સરળ ધિરાણ વિકલ્પો, જેમાં 12 જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા 6.75%ના રાહત દરે ₹2 લાખ સુધીની કોલેટરલ-મુક્ત લોનનો સમાવેશ થાય છે, તેને અપનાવવામાં વધુ વેગ મળ્યો છે. 15 દિવસની સીમલેસ સબસિડી ટ્રાન્સફર પ્રક્રિયા અને ઘણા લાભાર્થીઓ માટે શૂન્ય વીજળી બિલ સાથે, આ યોજના ફક્ત ઘરોને વીજળી જ નહીં પરંતુ લોકોને સશક્ત પણ બનાવી રહી છે. PMSGMBY હેઠળ દરેક સૌર ઉર્જા પ્લાન્ટ 100 વૃક્ષો વાવવા બરાબર કાર્બન ઉત્સર્જન ઘટાડે છે, જે ભારતને સ્વચ્છ, હરિયાળા અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ દોરી જાય છે.
કેટલાંક રાજ્યોમાં નોંધપાત્ર પ્રગતિ
આ યોજનામાં અનેક રાજ્યોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, ચંદીગઢ અને દમણ અને દીવે તેમના સરકારી બાંધકામના રૂફટોપ સોલાર લક્ષ્યાંકો 100 ટકા હાંસલ કાર્ય છે, જે સ્વચ્છ ઊર્જા અપનાવવામાં દેશનું નેતૃત્વ કરે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવાં રાજ્યો પણ અસાધારણ રીતે સારો દેખાવ કરી રહ્યાં છે, જે એકંદરે ઇન્સ્ટોલેશનના આંકડામાં નોંધપાત્ર પ્રદાન કરે છે. સરકાર વર્ષ 2026-27 સુધીમાં 1 કરોડ કુટુંબો સુધી પહોંચવાના લક્ષ્યાંક સાથે આ યોજનાનો સરળ અને સમયસર અમલ સુનિશ્ચિત કરવા તમામ રાજ્યોની પ્રગતિ પર સક્રિયપણે નજર રાખી રહી છે.
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ સૌથી વધુ ઘરોનો લાભ મેળવનારા પ્રથમ 5 રાજ્યો.

મુખ્ય લાભો
પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના સહભાગી પરિવારોને કેટલાંક મહત્ત્વપૂર્ણ લાભો પ્રદાન કરે છેઃ
v. ઘરો માટે નિઃશુલ્ક વીજળી: આ યોજના સબસિડીવાળા રૂફટોપ સોલર પેનલની સ્થાપના દ્વારા ઘરોને મફત વીજળી પ્રદાન કરે છે, જે તેમના ઊર્જા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
v. સરકાર માટે વીજળીના ખર્ચમાં ઘટાડો: સૌર ઊર્જાના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપીને, આ યોજનાથી સરકારને વીજળીના ખર્ચમાં વાર્ષિક અંદાજિત ₹75,000 કરોડની બચત થવાની ધારણા છે.
v. પુનઃપ્રાપ્ય ઊર્જાનો વધતો ઉપયોગઃ આ યોજના પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સ્ત્રોતોને અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે, જે ભારતમાં વધારે સંતુલિત અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા મિશ્રણમાં પ્રદાન કરે છે.
v. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો: આ યોજના હેઠળ સૌર ઊર્જામાં પરિવર્તન થવાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મદદ મળશે, જે ભારતની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની કટિબદ્ધતાને ટેકો આપશે.
સબસિડી વિગતો
આ યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી સબસિડી ઘરના સરેરાશ માસિક વીજ વપરાશ અને તેને અનુરૂપ રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતાના આધારે બદલાય છેઃ
સરેરાશ માસિક વીજળી વપરાશ (યુનિટ)
|
યોગ્ય રૂફટોપ સોલાર પ્લાન્ટ ક્ષમતા
|
સબસિડી સપોર્ટ
|
0-150
|
1-2 kW
|
₹ 30,000/- થી ₹ 60,000/-
|
150-300
|
2-3 kW
|
₹ 60,000/- થી ₹ 78,000/-
|
> ૩૦૦
|
ઉપર 3 kW
|
₹ 78,000/-
|
સબસિડી એપ્લિકેશન અને વેન્ડર સિલેક્શન: ઘરો નેશનલ પોર્ટલ દ્વારા સબસિડી માટે અરજી કરી શકે છે, જ્યાં તેઓ રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માટે યોગ્ય વિક્રેતાની પસંદગી પણ કરી શકે છે. રાષ્ટ્રીય પોર્ટલ યોગ્ય સિસ્ટમ કદ, લાભ કેલ્ક્યુલેટર, વિક્રેતાના રેટિંગ્સ અને અન્ય સંબંધિત વિગતો પર માહિતી પ્રદાન કરીને નિર્ણય લેવામાં મદદ કરશે. તમામ ઓળખપત્રોને નેશનલ પોર્ટલ પર યોગ્ય રીતે દાખલ કરવામાં આવ્યા હોવાથી, સીએફએની પ્રક્રિયામાં લાગતો સરેરાશ સમય ગ્રાહક દ્વારા કરવામાં આવેલી રિડેમ્પ્શન વિનંતીના આશરે 15 દિવસ પછીનો હોય છે.

કોલેટરલ-ફ્રી લોન્સઃ પરિવારોને 3 kW સુધીની રેસિડેન્શિયલ રૂફટોપ સોલર (RTS) સિસ્ટમની સ્થાપના માટે લગભગ 7% વ્યાજ પર કોલેટરલ-ફ્રી, ઓછા વ્યાજની લોનની ઍક્સેસ હશે.
યોગ્યતા

કાર્યક્રમ પ્રક્રિયા
સોલાર પેનલ ઇન્સ્ટોલેશનની સરળ અને કાર્યક્ષમ રજૂઆત અને મંજૂરીની ખાતરી કરવા માટે એપ્લિકેશન પ્રક્રિયામાં નવ વિશિષ્ટ પગલાઓને અનુસરવાનો સમાવેશ થાય છે.

અસર
પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વીજળી યોજનાનાં વ્યક્તિગત કુટુંબો અને સંપૂર્ણ રાષ્ટ્ર એમ બંને માટે દૂરગામી પરિણામો આવવાની અપેક્ષા છેઃ
v. ઘરગથ્થું બચત અને આવકનું સર્જન: ઘરોને તેમના વીજળીના બિલમાં નોંધપાત્ર બચતનો લાભ મળશે. વધુમાં, તેમને તેમના રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતી વધારાની વીજળી ડિસ્કોમ્સને વેચીને વધારાની આવક મેળવવાની તક મળશે. ઉદાહરણ તરીકે 3-કિલોવોટ સિસ્ટમ દર મહિને સરેરાશ 300 યુનિટથી વધુ વીજળી ઉત્પન્ન કરી શકે છે, જે ઊર્જા અને સંભવિત આવકનો વિશ્વસનીય સ્ત્રોત પૂરો પાડે છે.
v. સૌર ક્ષમતાનું વિસ્તરણ: આ યોજના રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ ઇન્સ્ટોલેશન મારફતે 30 ગીગાવોટ સૌર ક્ષમતાનો ઉમેરો કરશે એવી ધારણા છે, જે ભારતનાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં લક્ષ્યાંકોમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરશે.
v. પર્યાવરણને લગતા લાભો: આ રૂફટોપ સિસ્ટમ્સના 25 વર્ષના જીવનકાળ દરમિયાન, એવો અંદાજ લગાવવામાં આવે છે કે આ યોજના 1000 બીયુ વીજળીનું ઉત્પાદન કરશે જ્યારે કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં 720 મિલિયન ટનનો ઘટાડો કરશે, જે પર્યાવરણ પર નોંધપાત્ર હકારાત્મક અસર કરશે.
v. રોજગારીનું સર્જનઃ આ યોજનાથી ઉત્પાદન, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન, વેચાણ, ઇન્સ્ટોલેશન, ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ (ઓએન્ડએમ) અને અન્ય સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં આશરે 17 લાખ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જેથી દેશમાં રોજગારી અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આત્મનિર્ભર ભારત પહેલને અનુરૂપ, પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના ભારતમાં ઉત્પાદિત સૌર મોડ્યુલ અને કોષોનો ઉપયોગ ફરજિયાત કરીને સ્થાનિક ઉત્પાદનને ટેકો આપે છે. 10 માર્ચ, 2025 સુધીમાં, આ યોજના દ્વારા 3 ગીગાવોટથી વધુ રૂફટોપ સોલાર ક્ષમતા સ્થાપિત કરવાની સુવિધા આપવામાં આવી છે. જેમાં માર્ચ 2027 સુધીમાં વધારાની 27 ગીગાવોટ ક્ષમતાનો લક્ષ્યાંક છે. આ પહેલ ઇન્વર્ટર અને બેલેન્સ ઓફ પ્લાન્ટ (BOP) ઘટકોના સ્થાનિક ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપી રહી છે, ભારતના નવીનીકરણીય ઊર્જા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે અને મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રોત્સાહન આપી રહી છે.
મોડેલ સોલાર વિલેજ
આ યોજનાના "મોડેલ સોલાર વિલેજ" ઘટક હેઠળ, સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં એક મોડેલ સોલાર વિલેજ સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય સૌર ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામીણ સમુદાયોને ઊર્જા સ્વ-નિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવવાનો છે. આ ઘટક માટે ₹800 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં દરેક પસંદ કરેલા મોડેલ સોલાર વિલેજને ₹1 કરોડ આપવામાં આવશે.
ઉમેદવાર ગામ તરીકે લાયક બનવા માટે, તે 5,000 થી વધુ (અથવા ખાસ શ્રેણીના રાજ્યોમાં 2,000) વસ્તી ધરાવતું મહેસૂલ ગામ હોવું આવશ્યક છે. ગામડાઓની પસંદગી સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જેનું મૂલ્યાંકન જિલ્લા સ્તરીય સમિતિ (DLC) દ્વારા ઓળખાયાના છ મહિના પછી તેમની એકંદર વિતરિત નવીનીકરણીય ઊર્જા (RE) ક્ષમતાના આધારે કરવામાં આવે છે.
દરેક જિલ્લામાં સૌથી વધુ RE ક્ષમતા ધરાવતા ગામને ₹1 કરોડની કેન્દ્રીય નાણાકીય સહાય ગ્રાન્ટ મળશે. ડીએલસીની દેખરેખ હેઠળ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નવીનીકરણીય ઉર્જા વિકાસ એજન્સી અમલીકરણની દેખરેખ રાખશે, ખાતરી કરશે કે આ મોડેલ ગામો સફળતાપૂર્વક સૌર ઉર્જામાં રૂપાંતરિત થાય અને દેશભરના અન્ય ગામો માટે એક માપદંડ સ્થાપિત કરે.
નિષ્કર્ષ
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના ભારતની નવીનીકરણીય ઉર્જા યાત્રામાં એક પરિવર્તનશીલ પહેલ તરીકે ઉભી છે, જે લાખો ઘરો માટે સૌર ઉર્જા સુલભ, સસ્તું અને કાર્યક્ષમ બનાવે છે. 10 લાખ ઈન્સ્ટોલેશન પૂર્ણ થઈ ગયા પછી, આ યોજના 1 કરોડ સૌર ઉર્જાથી ચાલતા ઘરોના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહી છે. પર્યાપ્ત સબસિડી, સરળ ધિરાણ વિકલ્પો અને સુવ્યવસ્થિત ડિજિટલ અરજી પ્રક્રિયા ઓફર કરીને, આ કાર્યક્રમ સુનિશ્ચિત કરે છે કે શહેરી અને ગ્રામીણ ભારતના પરિવારો ઓછામાં ઓછા નાણાકીય બોજ સાથે સ્વચ્છ ઊર્જા તરફ સંક્રમણ કરી શકે. વીજળીના ખર્ચમાં ઘટાડો કરવા ઉપરાંત, આ યોજના ઊર્જા સ્વ-નિર્ભરતા, પર્યાવરણીય ટકાઉપણું અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે, જે તેને ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં મુખ્ય આધારસ્તંભ બનાવે છે.
સંદર્ભો:
પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ ભારતની સૌર ક્રાંતિ
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2111135)
Visitor Counter : 62