પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું
प्रविष्टि तिथि:
21 DEC 2024 12:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ધ્યાન એ વ્યક્તિના જીવનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો એક શક્તિશાળી માર્ગ છે, સાથે જ આપણાં સમાજ અને ગ્રહ માટે પણ સારું છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"આજે, વિશ્વ ધ્યાન દિવસ પર, હું તમામને આગ્રહ કરું છું કે તેઓ ધ્યાનને પોતાના રોજિંદા જીવનનો એક ભાગ બનાવે અને તેની પરિવર્તનીય ક્ષમતાનો અનુભવ કરે. ધ્યાન એ વ્યક્તિના જીવનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો એક શક્તિશાળી માર્ગ છે, સાથે જ આ આપણાં સમાજ અને ગ્રહ માટે પણ છે. ટેક્નૉલૉજીના યુગમાં, એપ્સ અને નિર્દેશિત વીડિયો આપણી દિનચર્યાઓમાં ધ્યાનને સામેલ કરવામાં મદદ કરવા માટે મૂલ્યવાન સાધનો બની શકે છે.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2086747)
आगंतुक पटल : 127
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam