પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે વાત કરી


પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રધાનમંત્રીને પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમની જાણકારી

પ્રધાનમંત્રીએ તે વાત પર ભાર આપ્યો કે આતંકવાદ માટે કોઈપણ સ્વરૂપ અને અભિવ્યક્તિમાં કોઈ સ્થાન નથી

પ્રધાનમંત્રીએ ક્ષેત્રીય તણાવ અટકાવવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિની નિર્ણાયક જરૂરિયાત પર ભાર મુક્યો

બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નેતન્યાહુ અને વિશ્વભરના યહૂદી લોકોને રોશ હશનાહ પર શુભેચ્છા પાઠવી

Posted On: 30 SEP 2024 11:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોન પર વાતચીત કરી.

PM નેતન્યાહુએ પ્રધાનમંત્રીને ​​પશ્ચિમ એશિયામાં હાલના ઘટનાક્રમો અંગે જાણકારી આપી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદ માટે કોઈપણ સ્વરૂપ કે અભિવ્યક્તિ માટે કોઈ સ્થાન નથી.

પ્રધાનમંત્રીએ ક્ષેત્રીય તણાવ ઘટાડવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ માટે કામ કરવાની નિર્ણાયક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાને સમર્થન આપવા તૈયાર છે.

બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી.

પ્રધાનમંત્રીએ રોશ હશનાહના અવસર પર પ્રધાનમંત્રી નેતન્યાહુ અને વિશ્વભરના યહૂદી લોકોને પોતાની શુભેચ્છાઓ પાઠવી.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2060521) Visitor Counter : 26