પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ ઓર્ગેનિક ખેડૂત શ્રીમતી પપ્પામ્મલના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 28 SEP 2024 7:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ઓર્ગેનિક ખેડૂત શ્રીમતી પપ્પામ્મલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેમણે કૃષિમાં, ખાસ કરીને ઓર્ગેનિક ખેતીમાં પોતાની ઓળખ બનાવી છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, લોકો તેમની નમ્રતા અને દયાળુ સ્વભાવ માટે પ્રશંસા કરતા હતા.

પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

“પપ્પમ્મલ જીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે કૃષિ, ખાસ કરીને ઓર્ગેનિક ખેતીમાં પોતાની એક છાપ ઉભી કરી. તેમની નમ્રતા અને દયાળુ સ્વભાવ માટે લોકો તેમની પ્રશંસા કરતા હતા. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને શુભચિંતકો સાથે છે. ઓમ શાંતિ.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2059749) Visitor Counter : 18