રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિ આવતીકાલે 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

Posted On: 13 AUG 2024 6:09PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે (14 ઓગસ્ટ, 2024) 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે.

આ સંબોધન 1900 કલાકથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ પછી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી તેના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક્સ પર 2130 કલાકે પ્રાદેશિક ભાષાના સંસ્કરણોનું પ્રસારણ કરશે.

AP/GP/JD



(Release ID: 2044975) Visitor Counter : 42