નાણા મંત્રાલય

ભારતીય કૃષિના સંલગ્ન ક્ષેત્રો ખેતીની આવકમાં સુધારો કરવા માટેના આશાસ્પદ સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છે: આર્થિક સર્વે


લાઇવસ્ટોક સેક્ટર 7.38 ટકાના સીએજીઆરના દરે વધે છે; 2014-15 અને 2022-23ની વચ્ચે મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર CAGR 8.9 ટકા વધ્યું

ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં GVA વર્ષ 2013-14માં ₹1.30 લાખ કરોડથી વધીને 2022-23માં ₹1.92 લાખ કરોડ થયું

Posted On: 22 JUL 2024 2:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં આર્થિક સર્વે 2023-24 રજૂ કરવામાં આવ્યો હતો. આર્થિક સર્વેક્ષણ દર્શાવે છે કે ભારતીય કૃષિના સંલગ્ન ક્ષેત્રો સતત મજબૂત વિકાસ કેન્દ્રો અને કૃષિ આવક સુધારવા માટેના આશાસ્પદ સ્રોત તરીકે ઉભરી રહ્યા છે. વર્ષ 2014-15થી 2022-23 દરમિયાન પશુધન ક્ષેત્ર સ્થિર ભાવે 7.38 ટકાના પ્રભાવશાળી કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર)થી વૃદ્ધિ પામ્યું હતું. કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં કુલ જીવીએ (સ્થિર ભાવે)માં પશુધનનો ફાળો 2014-15માં 24.32 ટકાથી વધીને 2022-23માં 30.38 ટકા થયો છે. વર્ષ 2022-23માં કુલ જીવીએમાં પશુધન ક્ષેત્રનો ફાળો 4.66 ટકા હતો, જે દૂધ, ઇંડા અને માંસની માથાદીઠ ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો કરે છે. ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો આપનાર મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર કૃષિ જીવીએમાં 6.72 ટકા હિસ્સો ધરાવે છે અને વર્ષ 2014-15 અને 2022-23 (સ્થિર ભાવે) વચ્ચે 8.9 ટકાના સંયુક્ત વાર્ષિક દરે વૃદ્ધિ પામી છે. "સૂર્યોદય ક્ષેત્ર" આશરે 30 મિલિયન લોકોને ટેકો આપે છે, ખાસ કરીને વંચિત અને નબળા સમુદાયો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EBXK.jpg

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (એએચઆઇડીએફ) ડેરી પ્રોસેસિંગ, માંસ પ્રોસેસિંગ, એનિમલ ફીડ પ્લાન્ટ્સ અને બ્રીડ ઇમ્પ્રૂવમેન્ટ ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં વ્યક્તિગત ઉદ્યોગસાહસિકો, ખાનગી કંપનીઓ, એફપીઓ અને સેક્શન 8 કંપનીઓ અને ડાયરી કોઓપરેટિવ (એએચઆઇડીએફમાં ડેરી પ્રોસેસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડને મર્જ કરીને સામેલ) પાસેથી રોકાણની સુવિધા આપે છે. સરકાર લોન લેનારને 3 ટકા વ્યાજ સહાય અને કુલ ઉધારના 25 ટકા સુધીની ક્રેડિટ ગેરંટી આપે છે. મે 2024 સુધીમાં, ધિરાણ આપતી બેંકો / નાબાર્ડ / એનડીડીબી દ્વારા રૂ. 13.861 કરોડના 408 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી 40,000 સીધી રોજગારની તકો ઉભી થઈ છે અને 42 લાખથી વધુ ખેડૂતોને લાભ થશે.

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે 2022-23માં, ભારતે 17.54 મિલિયન ટનનું રેકોર્ડ માછલી ઉત્પાદન હાંસલ કર્યું હતું, જે વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે અને વૈશ્વિક ઉત્પાદનમાં 8 ટકા હિસ્સો ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય)નાં સ્વરૂપે એક વિસ્તૃત હસ્તક્ષેપ વિકસાવવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ બીજ અને માછલીનાં ઉત્પાદન તથા અન્ય વિસ્તરણ સેવાઓ વધારવાનો છે. આ ક્ષેત્રની માળખાગત જરૂરિયાતોને પહોંચી વળવા માટે મત્સ્યપાલન અને એક્વાકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (એફઆઇડીએફ) વર્ષ 2018-19માં રૂ. 7.52 હજાર કરોડના કુલ ભંડોળના કદ સાથે રજૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ₹5.59 હજાર કરોડ માટે રાહતદર તરીકે 121 દરખાસ્તોની ભલામણ કરવામાં આવી છે.

ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રઃ

આર્થિક સર્વેક્ષણ અનુસાર, ભારત દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને ફળો, શાકભાજી અને ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સંગઠિત ઉત્પાદનમાં સૌથી મોટો રોજગારદાતા છે, જે સંગઠિત ક્ષેત્રમાં કુલ રોજગારીમાં 12.02 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2022-23 દરમિયાન પ્રોસેસ્ડ ફૂડની નિકાસ સહિત એગ્રિ-ફૂડની નિકાસનું મૂલ્ય 46.44 અબજ ડોલર હતું, જે ભારતની કુલ નિકાસમાં આશરે 11.7 ટકા હિસ્સો ધરાવે છે. પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટનો હિસ્સો પણ 2017-18માં 14.9 ટકાથી વધીને 2022-23માં 23.4 ટકા થયો છે.

આર્થિક સર્વેક્ષણમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં જીવીએ 2013-14માં ₹1.30 લાખ કરોડથી વધીને 2022-23માં ₹1.92 લાખ કરોડ થઈ ગઈ છે. 2011-12ના ભાવે 2022-23માં મેન્યુફેક્ચરિંગમાં જીવીએમાં આ ક્ષેત્રનો હિસ્સો 7.66 ટકા હતો.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2035120) Visitor Counter : 21