પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 22 JUN 2024 2:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જેઓ રામ મંદિર અભિષેક સમારંભ અને કાશી વિશ્વનાથ ધામના સમર્પણ સમારંભમાં ઉપસ્થિત હતા.

શ્રી મોદીએ આચાર્યને 'કાશીની વિદ્વતાપૂર્ણ પરંપરાના એક પ્રસિદ્ધ વ્યક્તિ' ગણાવ્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

દેશના મહાન વિદ્વાન અને સંગવેદ વિદ્યાલયના યજુર્વેદ શિક્ષક લક્ષ્મીકાંત દીક્ષિતના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. દીક્ષિતજી કાશીની વિદ્વતાપૂર્ણ પરંપરાના યશપુરુષ હતા. કાશી વિશ્વનાથ ધામ અને રામ મંદિરના લોકાર્પણ પર્વ પર મને તેમનું સાનિધ્ય મળ્યું. તેમના નિધનથી સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.”

AP/GP/JT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2027912) Visitor Counter : 44