પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી

Posted On: 18 JUN 2024 10:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

મેં કાશી વિશ્વનાથ મંદિરમાં ભારતની પ્રગતિ અને 140 કરોડ ભારતીયોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. મહાદેવના આશીર્વાદ હંમેશા આપણા પર રહે અને દરેક વ્યક્તિ સુખી તેમજ સ્વસ્થ રહે."

કાશીમાં બાબા વિશ્વનાથની પૂજા કરીને મનને અપાર સંતોષ મળ્યો છે. બાબા સમક્ષ તમામ દેશવાસીઓના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી.

જય બાબા વિશ્વનાથ!”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2026423) Visitor Counter : 42