સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
ડો. વિરેન્દ્ર કુમારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
શ્રી રામદાસ આઠવલેએ સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Posted On:
11 JUN 2024 4:19PM by PIB Ahmedabad
ડો.વિરેન્દ્ર કુમારે આજે અહીં કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો હતો. ડૉ. કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આ જવાબદારી સોંપવા બદલ તેમનો આભાર માન્યો હતો.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00162GL.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00162GL.jpg)
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલે અને શ્રી બી.એલ.વર્મા સહિત મંત્રાલયના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002A3EG.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002A3EG.jpg)
ત્યારબાદ ડૉ. કુમારે રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલે અને શ્રી બી. એલ. વર્મા સાથે મળીને મંત્રાલયની અત્યાર સુધીની સિદ્ધિઓ અને વિકસિત ભારતના સંકલ્પના સંબંધમાં ભવિષ્ય માટેના રોડમેપની ચર્ચા કરી હતી.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00364Q0.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00364Q0.jpg)
શ્રી રામદાસ આઠવલેએ પણ આજે અહીં સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં શ્રી આઠવલેએ જણાવ્યું હતું કે તેઓ સામાજિક ન્યાય અને સશક્તીકરણના મિશન તરફ કામ કરતા રહેશે.
AP/GP/JD
(Release ID: 2024422)
Visitor Counter : 40
Read this release in:
Punjabi
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam