પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વડોદરાના હરણી તળાવમાં હોડી પલટી જવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


એક્સ ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 18 JAN 2024 7:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે.

તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિથી દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM "

YP/JD



(Release ID: 1997556) Visitor Counter : 87