પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દરેક ભારતીય માટે સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો કારણ કે NITI પેપર મુજબ છેલ્લા 9 વર્ષમાં 24.82 કરોડ લોકો બહુપરીમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે

प्रविष्टि तिथि: 15 JAN 2024 7:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વાંગી વિકાસ તરફ કામ કરવાનું ચાલુ રાખવા અને દરેક ભારતીય માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેઓ આજે નીતિ આયોગ દ્વારા બહુપરીમાણીય ગરીબી પર બહાર પાડવામાં આવેલ ચર્ચા પત્ર પર ટિપ્પણી કરી રહ્યા હતા. પેપર કહે છે કે, 2005-06થી, ભારતે #MPIમાં 2013-14માં 29.17%થી 2022-23માં 11.28%નો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે જે 17.89%નો ઘટાડો છે. પરિણામે છેલ્લા 9 વર્ષમાં 24.82 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા.

પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:

"ખૂબ જ પ્રોત્સાહક, સર્વસમાવેશક વૃદ્ધિને આગળ વધારવા અને અમારી અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમે સર્વાંગી વિકાસ અને દરેક ભારતીય માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું."

YP/JD


(रिलीज़ आईडी: 1996389) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam