પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ અને નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું
Posted On:
04 NOV 2023 10:29AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે અને તેમણે ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"નેપાળમાં ભૂકંપને કારણે જાનહાનિ અને નુકસાનથી ખૂબ જ દુઃખી છું. ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. @cmprachanda”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1974651)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam