પ્રધાનમંત્રીનું કાર્યાલય

પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોમાં ઘણા વર્ષો પછી પરત ફરવું ખાસ રહ્યું છે : પ્રધાનમંત્રી

Posted On: 14 OCT 2023 11:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશમાં આવેલા પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોની મુલાકાત અવશ્ય કરવા માટે ભલામણ કરી છે.

તેમણે X પર પોસ્ટ કર્યું:

"જો કોઈ મને પૂછે કે- જો તમારે ઉત્તરાખંડમાં કોઈ એક સ્થળની મુલાકાત લેવી જોઈએ તો તે કયું સ્થળ હશે, તો હું કહીશ કે તમારે રાજ્યના કુમાઉ પ્રદેશમાં આવેલા પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોની મુલાકાત લેવી જોઈએ. તેનું કુદરતી સૌંદર્ય અને દિવ્યતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.

અલબત્ત, ઉત્તરાખંડમાં મુલાકાત લેવા લાયક ઘણા જાણીતા સ્થળો છે અને મેં પણ ઘણી વાર રાજ્યની મુલાકાત લીધી છે. આમાં કેદારનાથ અને બદ્રીનાથના પવિત્ર સ્થળોનો સમાવેશ થાય છે, જે સૌથી યાદગાર અનુભવો છે. પરંતુ પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોમાં ઘણા વર્ષો પછી પાછા ફરવું ખાસ રહ્યું છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1967618) Visitor Counter : 115