પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ NIPER અમદાવાદના ઉદ્ઘાટન પર અભિનંદન સંદેશ મોકલ્યો

Posted On: 30 SEP 2023 8:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા NIPER અમદાવાદના ઉદ્ઘાટન પર અભિનંદન સંદેશ મોકલ્યો હતો.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે NIPER અમદાવાદ એક જ્ઞાન, વિજ્ઞાન અને સંશોધનના શક્તિશાળી સેતુ તરીકે કામ કરીને ભારતને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

તેમણે X પર પોસ્ટ કર્યું:

"ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! મને વિશ્વાસ છે કે અમદાવાદનું NIPER જ્ઞાન, વિજ્ઞાન અને સંશોધનનો શક્તિશાળી સેતુ બનીને ભારતને ફાર્માસ્યુટિકલ્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1965843) Visitor Counter : 95