પ્રધાનમંત્રીનું કાર્યાલય

છેલ્લા 4 વર્ષમાં નળના પાણીના કનેક્શનની સંખ્યા 3 કરોડથી વધીને 13 કરોડ પર પહોંચતાં પ્રધાનમંત્રી શ્રીએ પ્રશંસા કરી

Posted On: 05 SEP 2023 7:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માત્ર 4 વર્ષમાં નળના પાણીના કનેકશનના 3 કરોડથી વધીને 13 કરોડના આંકડાને સ્પર્શવા બદલ લોકોને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જલ જીવન મિશન લોકોને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા અને જીવનની સરળતા અને જાહેર આરોગ્ય વધારવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"इस शानदार उपलब्धि के लिए बहुत-बहुत बधाई! ग्रामीण भारत के मेरे परिवारजनों तक पीने का शुद्ध पानी पहुंचे, इस दिशा में ‘जल जीवन मिशन’ मील का पत्थर साबित होने जा रहा है। यह ना सिर्फ उनकी परेशानियों को दूर करने में मददगार बना है, बल्कि उनके बेहतर स्वास्थ्य को भी सुनिश्चित कर रहा है।"

CB/GP/JD



(Release ID: 1954968) Visitor Counter : 126