પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તામિલનાડુના કૃષ્ણાગિરીમાં ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો


પીડિતો માટે એક્સ ગ્રેશિયાની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 29 JUL 2023 4:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કૃષ્ણાગિરીમાં ક્રેકર ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જાહેરાત કરી કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું: "તામિલનાડુના કૃષ્ણાગિરીમાં ફકાટકાની ફેક્ટરીમાં થયેલી દુ:ખદ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું, જેના પરિણામે અમૂલ્ય જીવો ગુમાવ્યા છે. મારા વિચારો અને પ્રાર્થનાઓ આ અત્યંત મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારો સાથે છે. ઘાયલો જલ્દીથી સાજા થાય. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી "

 CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1943964) आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam