પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના ધુલેમાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


Posted On: 04 JUL 2023 9:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ધુલેમાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. 50,000ની સહાય જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

મહારાષ્ટ્રના ધુલેમાં થયેલ અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000: PM @narendramodi

YP/GP/JD



(Release ID: 1937392) Visitor Counter : 151