પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મૈસૂર અને ધનબાદમાં અકસ્માતોને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 29 MAY 2023 8:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસૂર અને ધનબાદમાં થયેલા અકસ્માતોને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"કર્ણાટકના મૈસુરમાં થયેલા દુ:ખદ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના: PM"

"ધનબાદમાં દુર્ઘટનાને કારણે જાનહાનિ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલો માટે ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના: PM"

"પ્રધાનમંત્રીએ મૈસુર અને ધનબાદમાં દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે."

YP/GP/JD



(Release ID: 1928167) Visitor Counter : 156