પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ દંતેવાડામાં છત્તીસગઢ પોલીસ પર હુમલાની નિંદા કરી


હુમલામાં જીવ ગુમાવનાર બહાદુર જવાનોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 26 APR 2023 5:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં છત્તીસગઢ પોલીસ પર થયેલા હુમલાની નિંદા કરી છે. શ્રી મોદીએ હુમલામાં જીવ ગુમાવનારા બહાદુર જવાનોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

દંતેવાડામાં છત્તીસગઢ પોલીસ પર થયેલા હુમલાની સખત નિંદા કરીએ છીએ. આપણે હુમલામાં ગુમાવેલા બહાદુર જવાનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.”

YP/GP/JD



(Release ID: 1919889) Visitor Counter : 135