પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી

Posted On: 11 APR 2023 2:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને ભારતના યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી.

શ્રી મોદીએ કહ્યું કે તે આપણા યુવાનોને વિવિધ સંસ્કૃતિઓથી પરિચિત કરશે અને તેમને ત્યાં રહેતા લોકોન આતિથ્યનો અનુભવ કરવાની તક આપશે.

અમૃત મહોત્સવના એક ટ્વીટ થ્રેડ ટ્વીટર હેન્ડલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ઓડિશાના યુવાનો કિબિથૂ અને ટુટિંગ ગામોની મુલાકાતે છે.

વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ યુવાનોને આ ઉત્તર-પૂર્વ પ્રદેશની જીવનશૈલી, આદિવાસીઓ, લોક સંગીત અને હસ્તકલા વિશે જાણવા અને તેના સ્થાનિક સ્વાદો અને કુદરતી સૌંદર્યમાં ડૂબી જવાની તક આપે છે.

અમૃત મહોત્સવ દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

એક યાદગાર અનુભવ રહ્યો હશે. હું અન્ય લોકોને, ખાસ કરીને ભારતના યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરીશ. તે આપણા યુવાનોને વિવિધ સંસ્કૃતિઓથી પરિચિત કરશે અને તેમને ત્યાં રહેતા લોકોના આતિથ્યનો અનુભવ કરવાની તક આપશે.”

YP/GP/JD



(Release ID: 1915560) Visitor Counter : 176