પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ત્રિપુરામાં શપથ લેવા બદલ ડૉ. માણિક સાહા અને મંત્રીઓને અભિનંદન આપ્યા

Posted On: 08 MAR 2023 3:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રિપુરા રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ડૉ. માણિક સાહા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ડૉ. માણિક સાહાજી અને આજે શપથ લેનાર સમગ્ર ટીમને અભિનંદન. આ ટીમ ચોક્કસપણે લોકો દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરશે અને ત્રિપુરાની વિકાસ યાત્રાને વેગ આપશે. તેમના પ્રયાસોમાં તેમને મારી શુભેચ્છાઓ.

@DrManikSaha2"

YP/GP/JD



(Release ID: 1905111) Visitor Counter : 145