પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ત્રિપુરામાં શપથ લેવા બદલ ડૉ. માણિક સાહા અને મંત્રીઓને અભિનંદન આપ્યા
Posted On:
08 MAR 2023 3:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રિપુરા રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ડૉ. માણિક સાહા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ડૉ. માણિક સાહાજી અને આજે શપથ લેનાર સમગ્ર ટીમને અભિનંદન. આ ટીમ ચોક્કસપણે લોકો દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરશે અને ત્રિપુરાની વિકાસ યાત્રાને વેગ આપશે. તેમના પ્રયાસોમાં તેમને મારી શુભેચ્છાઓ.
@DrManikSaha2"
YP/GP/JD
(Release ID: 1905111)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam