પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર નમન કર્યા

પ્રધાનમંત્રીએ તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી જેઓ આપણા દેશની સેવામાં શહીદ થયા છે

Posted On: 30 JAN 2023 9:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના ગહન વિચારોને યાદ કર્યા છે. શ્રી મોદીએ આપણા રાષ્ટ્રની સેવામાં શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

હું બાપુને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું અને તેમના ગહન વિચારોને યાદ કરું છું. રાષ્ટ્રની સેવામાં શહીદ થયેલા તમામ લોકોને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમના બલિદાનને ક્યારેય ભૂલવામાં આવશે નહીં અને વિકસિત ભારત માટે કામ કરવાના આપણા સંકલ્પને મજબૂત બનાવતા રહેશે.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1894611) Visitor Counter : 185