પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ આર્મી ડે પર સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 15 JAN 2023 9:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મી ડે નિમિત્તે તમામ સેનાના જવાનો, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"સૈન્ય દિવસ પર, હું તમામ આર્મી કર્મચારીઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને મારી શુભેચ્છા પાઠવું છું. દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ છે અને તે હંમેશા આપણા સૈનિકોનો આભારી રહેશે. તેઓએ હંમેશા આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખ્યું છે અને કટોકટીના સમયે તેમની સેવા માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે."

YP/GP/JD



(Release ID: 1891371) Visitor Counter : 161