પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ 2022માં શૂન્ય શિકારની ઘટના નોંધાયા પછી આસામના લોકો દ્વારા ગેંડા સંરક્ષણ પ્રયાસોની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 03 JAN 2023 3:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં શૂન્ય શિકારની ઘટનાઓ નોંધાયા બાદ રાજ્યમાં ગેંડા સંરક્ષણ તરફના પ્રયાસો માટે આસામના લોકોની પ્રશંસા કરી છે.

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાના એક ટ્વીટને શેર કરીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

આ મહાન સમાચાર છે! આસામના લોકોને અભિનંદન, જેમણે માર્ગ બતાવ્યો છે અને ગેંડાના રક્ષણ માટે તેમના પ્રયાસોમાં સક્રિય રહ્યા છે. "

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1888317) મુલાકાતી સંખ્યા : 343