કૃષિ મંત્રાલય

વર્ષાંત સમીક્ષા - 2022: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

Posted On: 26 DEC 2022 12:25PM by PIB Ahmedabad
  1. બજેટ ફાળવણીમાં અભૂતપૂર્વ વધારો

વર્ષ 2022-23માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માટે બજેટની ફાળવણી વધારીને રૂ. 1,24,000 કરોડ કરવામાં આવી છે.

  1. વિક્રમી ખાદ્યાન્ન અને બાગાયતી ઉત્પાદન

અનાજનું ઉત્પાદન જાન્યુઆરી 2022માં 308.65 મિલિયન ટનથી વધીને ડિસેમ્બર 2022માં 315.72 મિલિયન ટન થઈ ગયું છે (ચોથા એડવાન્સ અંદાજ મુજબ) જે અનાજનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન છે. ત્રીજા અદ્યતન અંદાજ મુજબ, વર્ષ 2020-21 દરમિયાન બાગાયતી ખેતીનું ઉત્પાદન 331.05 મિલિયન મેટ્રિક ટન હતું, જે વર્ષ 2021-22 દરમિયાન વધીને 342.33 મિલિયન મેટ્રિક ટન થયું છે. તે ભારતીય બાગાયત માટે અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન છે.

   3. એમએસપી ઉત્પાદન ખર્ચ કરતાં દોઢ ગણી કિંમતે નક્કી કરવી

  • સરકારે તમામ ફરજિયાત ખરીફ, રવિ અને અન્ય વાણિજ્યિક પાકો માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કર્યો છે, જે વર્ષ 2018-19થી સંપૂર્ણ ભારતમાં ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછું 50 ટકાનું વળતર આપે છે.
  • ડાંગર (કૉમન) માટે એમએસપી ડિસેમ્બર, 2022માં વધીને 2040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે, જે જાન્યુઆરી, 2022માં 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી.
  • ઘઉં માટે એમએસપી જાન્યુઆરી, 2022માં ક્વિન્ટલ દીઠ રૂ. 2015થી વધીને ડિસેમ્બર, 2022માં રૂ. 2125 થઈ હતી.
  1. ખાદ્ય તેલ – ઓઇલ પામ માટેનાં રાષ્ટ્રીય મિશનનો શુભારંભ – એનએમઇઓને કુલ 11,040 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે. તેનાથી ઓઇલ પામનાં વાવેતર હેઠળ 6.5 લાખ હૅક્ટર વધારાનો વિસ્તાર આવશે, જે આગામી પાંચ વર્ષમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં 3.28 લાખ હૅક્ટર અને બાકીનાં ભારતમાં 3.22 હૅક્ટર જમીન હશે. આ મિશનનો મુખ્ય ધ્યેય ખેડૂતોને તાજાં ફળોના ગુચ્છા (એફડીબી)ની વાયેબિલિટી પ્રાઇસ પૂરી પર કેન્દ્રિત છે, જે એક સરળ ભાવ નિર્ધારણ ફોર્મ્યુલા સાથે ઉદ્યોગો દ્વારા ખાતરીપૂર્વકની ખરીદી સાથે જોડાયેલ છે. જો ઑક્ટોબર, 2037 સુધી ઉદ્યોગ દ્વારા ચૂકવવામાં આવતી કિંમત વાયેબિલિટી પ્રાઇસથી ઓછી હશે તો કેન્દ્ર સરકાર ખેડૂતોને વાયેબિલિટી ગેપ પેમેન્ટ મારફતે વળતર આપશે.
  2. ખેડૂતો પાસેથી પ્રાપ્તિ-ખરીદીમાં વધારો

પાક વર્ષ 2020-21 માટે સરકારે તેની નોડલ એજન્સીઓ મારફતે રૂ. 6,830.18 કરોડનાં એમએસપી મૂલ્ય ધરાવતાં 12,11,619.39 મેટ્રિક ટન અનાજ અને તેલીબિયાંની ખરીદી કરી હતી, જેનાથી 7,06,552 ખેડૂતોને લાભ થયો હતો, જ્યારે વર્ષ 2021-22માં એમએસપી કિંમત રૂ. 17,093.13 કરોડથી વધારેનાં 31,08,941.96 મેટ્રિક ટન કઠોળ, તેલીબિયાં અને કોપરાંની ખરીદી થઈ, જેનો લાભ 14,68,699 ખેડૂતોને થયો છે. ઉપરાંત ખરીફ 2021-22 સીઝનની ખરીદી અંતર્ગત, એમએસપી મૂલ્ય રૂ. 1380.17 કરોડ ધરાવતા 2,24,282.01 મેટ્રિક ટન કઠોળ અને તેલીબિયાંનો જથ્થો જાન્યુઆરી, 2022 સુધીમાં ખરીદાયો, જેનો લાભ 1,37,788 ખેડૂતોને મળ્યો હતો, જ્યારે ખરીફ 2022-23 સીઝનની ખરીદી હેઠળ, ડિસેમ્બર 2022 સુધીમાં 1,03,830.50 મેટ્રિક ટન કઠોળ, તેલીબિયાં અને કોપરાનો જથ્થો ખરીદવામાં આવ્યો છે, જેનું એમએસપી મૂલ્ય રૂ. 915.79 કરોડ છે, જેનો લાભ 61,339 ખેડૂતોને મળ્યો.

  1. પીએમ કિસાન મારફતે ખેડૂતોને આવક સહાય
  • પીએમ-કિસાન યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી, જે ખેડૂતોને 3 સમાન હપ્તામાં દર વર્ષે રૂ. 6,000 પૂરા પાડતી આવક સહાય યોજના છે.
  • પીએમ-કિસાન યોજનામાં જાન્યુઆરી, 2022માં 11.74 કરોડથી વધારે ખેડૂતોને રૂ. 1.82 લાખ કરોડ રિલીઝ કરવામાં આવ્યાં હતાં, જ્યારે ડિસેમ્બર, 2022 સુધીમાં 11 કરોડથી વધારે પાત્રતા ધરાવતાં ખેડૂતોને રૂ. 2 લાખ કરોડથી વધારે રિલીઝ કરવામાં આવ્યા છે.
  1. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય)
  • પીએમએફબીવાયની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી, જે ખેડૂતો માટે પ્રિમિયમનાં ઊંચા દરની અને કેપિંગને કારણે વીમાની રકમમાં ઘટાડાની સમસ્યાઓને ઉકેલે છે.
  • અમલીકરણ પછી, 29.39 કરોડ અરજદાર ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે અને જાન્યુઆરી, 2022 સુધીમાં 9.01 કરોડ (કામચલાઉ) અરજદાર ખેડૂતોને રૂ. 1,04,196 કરોડથી વધુના દાવાઓ પ્રાપ્ત થયા છે, જે ડિસેમ્બર, 2022 સુધીમાં વધીને 38 કરોડ નોંધાયેલા અરજદાર ખેડૂતો અને 12.24 કરોડ (કામચલાઉ) ખેડૂત અરજદારોને રૂ. 1,28,522 કરોડથી વધુના દાવા મળ્યા છે.
  • જાન્યુઆરી, 2022 સુધીમાં ખેડૂતો દ્વારા તેમના પ્રિમિયમના હિસ્સા તરીકે આશરે રૂ. 21532 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી, જેમની સામે રૂ. 104196 કરોડ (કામચલાઉ)થી વધુના દાવાઓ તેમને ચૂકવવામાં આવ્યા હતા, આમ, ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમના પ્રત્યેક 100 રૂપિયા માટે, તેમને દાવા તરીકે રૂ. 484 મળ્યા હતા, જ્યારે ડિસેમ્બર, 2022 સુધીમાં ખેડૂતો દ્વારા પ્રીમિયમના તેમના હિસ્સા તરીકે આશરે રૂ. 25,192 કરોડ ચૂકવવામાં આવ્યા હતા, જેની સામે તેમને રૂ. 1,28,522 કરોડ (કામચલાઉ)ના દાવાઓની ચુકવણી કરવામાં આવી હતી, આમ, ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમના દર 100 રૂપિયા માટે, તેમને દાવા તરીકે લગભગ રૂ. 510 મળ્યા છે.
  1. કૃષિ ક્ષેત્ર માટે સંસ્થાગત ધિરાણ
  • • જાન્યુઆરી, 2022માં કૃષિ ક્ષેત્ર માટે સંસ્થાકીય ધિરાણ રૂ. 16.5 લાખ કરોડ હતું, જે ડિસેમ્બર, 2022માં વધીને રૂ. 18.5 લાખ કરોડ થયું છે.    
  • પશુપાલન અને મત્સ્યપાલનના ખેડૂતોને પણ હવે તેમની ટૂંકા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે હવે કેસીસી મારફતે વાર્ષિક 4 ટકાના વ્યાજ સાથે રાહતયુક્ત સંસ્થાગત ધિરાણનો લાભ આપવામાં આવ્યો છે.
  • કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) મારફતે તમામ પીએમ-કિસાન લાભાર્થીઓને આવરી લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે રાહતદરે સંસ્થાકીય ધિરાણ પ્રદાન કરવા ફેબ્રુઆરી, 2020થી એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગ તરીકે જાન્યુઆરી, 2022 સુધીમાં, 291.67 લાખ નવી કેસીસી અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં રૂ. 3,19,902 કરોડની મંજૂર થયેલી ક્રેડિટ મર્યાદા હતી, જે ડિસેમ્બર, 2022માં રૂ. 4,33,426 કરોડની મંજૂર થયેલી ક્રેડિટ મર્યાદા સાથે વધીને 376.97 લાખ કેસીસી અરજીઓને મંજૂર કરવામાં આવી હતી.
  1. ખેડૂતોને સોઇલ હૅલ્થ કાર્ડ્સ પૂરા પાડવા

પોષકતત્વોના મહત્તમ ઉપયોગ માટે સોઇલ હૅલ્થ કાર્ડ સ્કીમ વર્ષ 2014-15માં રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોને નીચે મુજબની સંખ્યામાં કાર્ડ્સ આપવામાં આવ્યા છે.

  1. ચક્ર-1 (2015થી 2017) – 10.74 કરોડ
  2. ચક્ર-2 (2017થી 2019) – 11.97 કરોડ
  3. મોડેલ વિલેજ પ્રોગ્રામ (2019-20)- 19.64 લાખ

બાયોસ્ટિમ્યુલેન્ટ્સના પ્રમોશન માટેના નિયમો જારી કરવામાં આવ્યા છે. ખાતર નિયંત્રણ ઓર્ડરમાં નેનો યુરિયાનો સમાવેશ કરાયો છે.

  1. દેશમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન
  • દેશમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2015-16માં પરંપરાગત કૃષિ વિકાસ યોજના (પીકેવીવાય)ની શરૂઆત કરવામાં આવી હતી. જાન્યુઆરી, 2022 સુધીમાં 30934 ક્લસ્ટરોની રચના કરવામાં આવી હતી અને 6.19 લાખ હૅક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો, જેનાથી 15.47 લાખ ખેડૂતોને લાભ થયો હતો, જે ડિસેમ્બર, 2022માં વધીને 32,384 ક્લસ્ટર્સ થઈ ગયાં છે અને 6.53 લાખ હૅક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે, જેનાથી 16.19 લાખ ખેડૂતોને લાભ થયો છે. આ ઉપરાંત નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ 123620 હૅક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે અને કુદરતી ખેતી હેઠળ 4.09 લાખ હૅક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને ઝારખંડના ખેડૂતોએ ગંગા નદીની બંને બાજુએ જૈવિક ખેતી હાથ ધરી છે, જેથી નદીનાં પાણીનાં પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય તેમજ ખેડૂતોને વધારાની આવક થાય.
  • સરકારે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ (બીપીકેપી) યોજના મારફતે સ્થાયી કુદરતી કૃષિ પ્રણાલીને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. પ્રસ્તાવિત યોજનાનો ઉદ્દેશ ખેતીનો ખર્ચ ઘટાડવાનો, ખેડૂતોની આવક વધારવાનો તથા સંસાધનોનું સંરક્ષણ તથા સલામત અને તંદુરસ્ત જમીન, પર્યાવરણ અને ખાદ્ય ચીજવસ્તુઓ સુનિશ્ચિત કરવાનો છે.
  • મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ ઇન નોર્થ ઇસ્ટ રિજન (એમઓવીસીડીએનઇઆર) શરૂ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી, 2022 સુધીમાં, 170 ખેડૂત ઉત્પાદક કંપનીઓની રચના કરવામાં આવી છે, જેમાં 153116 ખેડૂતોનો સમાવેશ થાય છે અને તે 155495 હૅક્ટર વિસ્તારને આવરી લે છે, જ્યારે ડિસેમ્બર, 2022 સુધીમાં, 379 ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓની રચના કરવામાં આવી છે, જેમાં 189039 ખેડૂતોનો સમાવેશ થાય છે અને 172966 હૅક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.
  • આ ઉપરાંત વાજબી કિંમતે ઓર્ગેનિક સર્ટિફિકેશનની સુવિધા આપવા અને અપનાવવામાં સરળ અભિગમ અપનાવવા વર્ષ 2015 દરમિયાન નવી સહભાગી ગૅરંટી સિસ્ટમ (પીજીએસ) સર્ટિફિકેશન શરૂ કરવામાં આવી હતી. આ પીજીએસ સિસ્ટમ વિશ્વમાં અનન્ય છે અને તે વિશ્વનો સૌથી મોટો સહભાગી ઓર્ગેનિક પ્રમાણપત્ર કાર્યક્રમ છે. જાન્યુઆરી, 2022 સુધી, 11 લાખ નાના અને સીમાંત ખેડૂતોને પીજીએસ પ્રમાણપત્ર હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા હતા, જ્યારે ડિસેમ્બર, 2022 સુધીમાં, 13.98 લાખ નાના અને સીમાંત ખેડૂતોને પીજીએસ પ્રમાણપત્ર હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા છે. • નાના અને સીમાંત ખેડૂતોને તેમનાં ઓર્ગેનિક ઉત્પાદનો સીધા જ ગ્રાહકોને વેચવામાં મદદ કરવા માટે એક જૈવિકખેતી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી, 2022 સુધીમાં પોર્ટલ પર આશરે 5.73 લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી, જ્યારે ડિસેમ્બર, 2022 સુધીમાં 6.09 લાખ ખેડૂતોની નોંધણી પોર્ટલ પર થઈ છે.
  • આ ઉપરાંત લાર્જ એરિયા સર્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ આઇલેન્ડ, દૂરના, પર્વતીય વિસ્તારો જેવા ડિફોલ્ટ ઓર્ગેનિક એરિયાનું ક્વિક સર્ટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. આ નાના ખેડૂતોને ૩ વર્ષનાં સામાન્ય પ્રમાણપત્ર સમયગાળાની રાહ જોયા વિના તરત જ પ્રમાણિત ઉત્પાદનોનું માર્કેટિંગ કરવામાં સક્ષમ બનાવશે. આંદામાનના કાર નિકોબાર ટાપુઓમાં આશરે 14,445 હૅક્ટર જમીનને હવે આ કાર્યક્રમ હેઠળ પ્રમાણિત કરવામાં આવી છે, જે આ વિસ્તારના સીમાંત ખેડૂતોને પ્રમાણિત ઉત્પાદનોનાં માર્કેટિંગ માટે મદદ કરે છે. એલએસી હેઠળ લદ્દાખથી ૫૦૦૦ હૅક્ટર વિસ્તારનો પ્રસ્તાવ પ્રાપ્ત થયો છે અને રૂ. ૧૧.૪૭૫ લાખનું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે, ખેડૂતોને જૈવિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર માટે વ્યક્તિગત ખેડૂતો માટે ટેકો પણ રજૂ કરવામાં આવ્યો છે. લક્ષદ્વીપના ૨૭૦૦ હૅક્ટર વિસ્તારની સંપૂર્ણ ખેતીલાયક જમીનને એલએસી હેઠળ જૈવિક તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. તાજેતરમાં સિક્કિમમાં 60,000 હૅક્ટર વિસ્તારને સર્ટિફિકેશન ચાલુ રાખવા માટે પણ ટેકો આપવામાં આવ્યો છે અને રૂ. 96.39 લાખનું ભંડોળ છૂટું કરવામાં આવ્યું છે, જે વિશ્વનું એકમાત્ર 100% ઓર્ગેનિક રાજ્ય છે.
  1. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
  • એઆઇએફની શરૂઆતથી જાન્યુઆરી, 2022 સુધીમાં આ યોજનાએ દેશમાં 16,000થી વધારે પ્રોજેક્ટ્સ માટે રૂ. 11,891 કરોડનાં મૂલ્યનું કૃષિ માળખું મંજૂર કર્યું છે, જ્યારે ડિસેમ્બર, 2022 સુધીમાં 18133થી વધારે પ્રોજેક્ટ્સ માટે દેશમાં રૂ. 13,681 કરોડનાં મૂલ્યનું કૃષિ માળખું મંજૂર કરવામાં આવ્યું છે.
  • આ યોજનાની મદદથી વિવિધ કૃષિ માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી અને કેટલીક માળખાગત સુવિધાઓ પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં છે.
  • જાન્યુઆરી, 2022 સુધીમાં, 4748 ગોડાઉન, 591 કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, 155 એસેઇંગ યુનિટ્સ, 550 પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ્સ, 306 સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ, 267 કોલ્ડ સ્ટોર પ્રોજેક્ટ્સ અને આશરે 2420 અન્ય પ્રકારના પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ અને સામુદાયિક ફાર્મિંગ એસેટ્સની સ્થાપના કરવામાં આવી હતી, જે ડિસેમ્બર, 2022માં વધીને 8076 ગોડાઉન, 2788 પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ્સ, 1860 હાયરિંગ સેન્ટર્સ, 937 સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ696 કોલ્ડ સ્ટોર પ્રોજેક્ટ્સ, 163 એસેઇંગ યુનિટ્સ અને લગભગ 3613 અન્ય પ્રકારના સામુદાયિક લણણી પછીના મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ અને સામુદાયિક ખેતીની અસ્કયામતો થઈ છે.
  1. એફપીઓને પ્રોત્સાહન
  2.  માનનીય પ્રધાનમંત્રી દ્વારા 29 ફેબ્રુઆરી, 2020ના રોજ શરૂ કરવામાં આવેલી નવા 10,000 એફપીઓની રચના અને સંવર્ધન માટે કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજના, જેનો વર્ષ 2027-28 સુધી રૂ. 6865 કરોડનો ખર્ચ થશે.
  3. કુલ 2110 જેટલા એફપીઓની નોંધણી જાન્યુઆરી, 2022 સુધી કરવામાં આવી હતી, જે નવી એફપીઓ યોજના હેઠળ ડિસેમ્બર, 2022 સુધી વધીને 4016  એફપીઓ થઈ છે.
  4. આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે વર્ષ 2020માં રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન (એનબીએચએમ) શરૂ કરવામાં આવ્યું છે. મધમાખી ઉછેર ક્ષેત્ર માટે 2020-2021થી 2022-2023ના સમયગાળા માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જાન્યુઆરી, 2022 સુધી, એનબીએચએમ હેઠળ ભંડોળ મેળવવા માટે આશરે રૂ. 118.00 કરોડની સહાય માટે 70 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે ડિસેમ્બર, 2022 સુધીમાં આશરે રૂ. 139.23 કરોડની સહાય માટેના 114 પ્રોજેક્ટ્સને એનબીએચએમ હેઠળ ભંડોળ માટે મંજૂરી આપવામાં આવી છે / પરવાનગી આપવામાં આવી છે.      
  5. પર ડ્રોપ મોર ક્રોપ

વર્ષ 2015-16 દરમિયાન પર ડ્રોપ મોર ક્રોપ (પીડીએમસી) યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સૂક્ષ્મ સિંચાઈ ટેકનોલોજીઓ એટલે કે ટપક અને ફુવારા સિંચાઈ વ્યવસ્થા મારફતે કૃષિ સ્તરે પાણીના ઉપયોગની કાર્યદક્ષતા વધારવાનો છે. જાન્યુઆરી, 2022 સુધીમાં, 60 લાખ હૅક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે, જે પીડીએમસી યોજના મારફતે સૂક્ષ્મ સિંચાઈ હેઠળ ડિસેમ્બર, 2022માં વધીને 69.55 લાખ હૅક્ટર થઈ ગયો છે.

  1. માઇક્રો ઈરિગેશન ફંડ

 

નાબાર્ડ સાથે રૂ. ૫૦૦૦ કરોડનું પ્રારંભિક કોર્પસ સાથેનું માઇક્રો ઇરિગેશન ફંડ બનાવવામાં આવ્યું છે. વર્ષ 2021-22 માટે બજેટની જાહેરાતમાં ફંડનું ભંડોળ વધારીને રૂ.10,000 કરોડ થવાનું છે. જાન્યુઆરી, 2022 સુધીમાં, 12.83 લાખ હૅક્ટરને આવરી લેતા રૂ. 3970.17 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે ડિસેમ્બર, 2022 સુધીમાં 17.09 લાખ હૅક્ટરને આવરી લેતા 4710.96 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.

  1. કૃષિ યાંત્રિકરણ
  • • કૃષિનું યાંત્રિકરણ કૃષિને આધુનિક બનાવવા અને ખેતીની કામગીરીની કઠોરતા ઘટાડવા માટે અત્યંત આવશ્યક છે. વર્ષ 2014-15થી માર્ચ, 2022 દરમિયાન કૃષિ યાંત્રિકરણ માટે રૂ.5490.82 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
  • જાન્યુઆરી, 2022 સુધીમાં સબસિડી પર ખેડૂતોને પૂરા પાડવામાં આવતાં મશીનો અને ઉપકરણોની સંખ્યા 13,78,755 હતી, જે ડિસેમ્બર, 2022માં વધીને 13,88,314 થઈ ગઈ છે. 
  • ખેડૂતોને ભાડાના આધારે કૃષિ મશીનો અને ઉપકરણો ઉપલબ્ધ થાય એ માટે ડિસેમ્બર, 2022માં 18,824 કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, 403 હાઇટેક હબ્સ અને 16,791 ફાર્મ મશીનરી બૅન્કો કાર્યરત છે, જ્યારે જાન્યુઆરી, 2022 સુધીમાં 16,007 કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, 378 હાઇ-ટેક હબ્સ અને 16309 ફાર્મ મશીનરી બૅન્કો ઉપલબ્ધ હતી.
  • ચાલુ વર્ષ 2022-23 દરમિયાન અત્યાર સુધીમાં સબસિડી પર 65302 મશીનોના વિતરણ, 2804 સીએચસી, 12 હાઈટેક હબ્સ અને 1260 ગ્રામ સ્તરીય ફાર્મ મશીનરી બૅન્કોની સ્થાપના માટે આશરે માટે રૂ. 504.43 કરોડની રકમ જારી કરવામાં આવી છે.
  • પાકના અવશેષો બાળવાને કારણે થતાં વાયુ પ્રદૂષણને દૂર કરવા માટે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને એનસીટી ઑફ દિલ્હી સરકારના પ્રયાસોને ટેકો આપવા માટે વર્ષ 2018-19થી 2021-22ના સમયગાળા દરમિયાન મિકેનાઇઝેશન હસ્તક્ષેપો મારફતે પાકના અવશેષોનાં વ્યવસ્થાપન માટે આ રાજ્યોને રૂ. 2440.07 કરોડનું ભંડોળ રિલિઝ કરવામાં આવ્યું છે. પાકના અવશેષોનાં વ્યવસ્થાપન મશીનોનાં 38422 કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (સીએચસી) સ્થાપિત કરવામાં આવ્યાં છે અને આ ચાર રાજ્યોના આ સીએચસી અને વ્યક્તિગત ખેડૂતોને 2.07 લાખથી વધુ મશીનો પૂરા પાડવામાં આવ્યાં છે. ચાલુ વર્ષ દરમિયાન રૂ. 698.10 કરોડની રકમ છૂટી કરવામાં આવી છે અને આ રાજ્યો માટે પાકના અવશેષોના ઇન-સીટુ અને એક્સ-સીટુ મેનેજમેન્ટ માટે 47,500 પાક અવશેષ વ્યવસ્થાપન મશીનો પૂરાં પાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
  • કૃષિમાં ડ્રોન ટેકનોલોજીના અનન્ય ફાયદાઓને ધ્યાનમાં રાખીને, જંતુનાશકો અને પોષક તત્વોના ઉપયોગ માટે ડ્રોનના ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) 21.12.2021 ના રોજ બહાર જાહેર કરવામાં આવી, જે ડ્રોનની અસરકારક અને સલામત કામગીરી માટે સંક્ષિપ્ત સૂચનાઓ પૂરી પાડે છે.
  • આ ટેકનોલોજીને ખેડૂતો અને આ ક્ષેત્રના અન્ય હિતધારકોને પરવડે તેવી બનાવવા માટે, ખેડૂતોનાં ખેતરો પર તેના પ્રદર્શન માટે સબ-મિશન ઓન એગ્રિકલ્ચરલ મિકેનાઇઝેશન (એસએમએએમ) હેઠળ ડ્રોનના 100% ખર્ચ પરની નાણાકીય સહાય અને આકસ્મિક ખર્ચને વિસ્તૃત કરવામાં આવે છે.
  • ડ્રોન એપ્લિકેશન મારફતે કૃષિ સેવાઓ પૂરી પાડવા માટે, ડ્રોનની મૂળભૂત કિંમતના 40% પર નાણાકીય સહાય અને મહત્તમ રૂ. 4.00 લાખ સુધીની તેના અટેચમેન્ટ્સ પર, કોઓપરેટિવ સોસાયટી ઓફ ફાર્મર્સ, એફપીઓ અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકો હેઠળ કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (સીએચસી) દ્વારા ડ્રોન ખરીદી માટે પૂરી પાડવામાં આવે છે. સીએચસીની સ્થાપના કરતા કૃષિ સ્નાતકોને ડ્રોનની કિંમતના 50 ટકાના દરે મહત્તમ રૂ. 5.00 લાખ સુધીની નાણાકીય સહાય મળવાપાત્ર છે. ઉપરોક્ત ઉપરાંત વ્યક્તિગત ખેડૂતો પણ નાણાકીય સહાય માટે પાત્ર છે અને નાના અને સીમાંત ખેડૂતો, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ખેડૂતો, મહિલા ખેડૂતો અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકાના દરે વધુમાં વધુ 5.00 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. અન્ય ખેડૂતોને ડ્રોનની કિંમતના 40 ટકાના દરે વધુમાં વધુ રૂ. 4.00 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
  • એસએમએએમનાં ભંડોળમાંથી અત્યાર સુધીમાં કિસાન ડ્રોન પ્રમોશન માટે રૂ. 124.26 કરોડની રકમ છૂટી કરવામાં આવી છે, જેમાં 79070 હૅક્ટર જમીનમાં તેનાં પ્રદર્શન માટે 317 ડ્રોનની ખરીદી અને સબસિડી પર ખેડૂતોને 239 ડ્રોનનો પુરવઠો પૂરો પાડવાનો સમાવેશ થાય છે અને ખેડૂતોને ભાડાનાં ધોરણે ડ્રોન સેવાઓ પૂરી પાડવા માટે સીએચસીને 1519 ડ્રોનનો પુરવઠો પૂરો પાડવાનો પણ સમાવેશ થાય છે.
  1. ઇ-નામ એક્સ્ટેંશન પ્લેટફોર્મની સ્થાપના
  • ડિસેમ્બર, 2022 સુધી 22 રાજ્યો અને 03 કેન્દ્ર શાસિત પ્રદેશોની 1260 મંડીઓને ઇ-નામ પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવી છે, જે સંખ્યા જાન્યુઆરી, 2022માં 18 રાજ્યો અને 03 કેન્દ્ર શાસિત પ્રદેશોની 1000 મંડીની હતી.
  • જાન્યુઆરી, 2022 સુધીમાં ઇ-નામ પોર્ટલ પર 1.72 કરોડ ખેડૂતો અને 2.13 લાખ વેપારીઓની નોંધણી થઈ હતી, જે ડિસેમ્બર, 2022માં વધીને 1.74 કરોડથી વધારે ખેડૂતો અને 2.37 લાખ વેપારીઓ થઈ ગઈ છે.
  • ડિસેમ્બર, 2022 સુધીમાં ઇ-નામ પ્લેટફોર્મ પર કુલ 6.80 કરોડ મેટ્રિક ટન અને 20.05 કરોડ સંખ્યામાં (વાંસ, સોપારી, નાળિયેર, લીંબુ અને મીઠી મકાઈ)નો કુલ વેપાર જથ્થો નોંધાયો છે, જેની કિંમત સંયુક્તપણે આશરે રૂ. 2.33 લાખ કરોડ છે, જ્યારે જાન્યુઆરી 2022માં  કુલ વૉલ્યુમ 5.37 કરોડ મેટ્રિક ટન અને 12.29 કરોડ સંખ્યામાં (વાંસ, સોપારી, નાળિયેર, લીંબુ અને મીઠી મકાઈ)નો કુલ જથ્થો નોંધવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત આશરે રૂ. 1.72 લાખ કરોડ હતી. 
  1. કૃષિ ઉત્પાદન લોજિસ્ટિક્સમાં સુધારણા, કિસાન રેલની રજૂઆત

રેલવે મંત્રાલય દ્વારા નાશવંત કૃષિલક્ષી ચીજવસ્તુઓની અવરજવરને પહોંચી વળવા માટે કિસાન રેલ શરૂ કરવામાં આવી છે. પ્રથમ કિસાન રેલ જુલાઈ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી હતી. જાન્યુઆરી, 2022 સુધીમાં, 155 રૂટ પર 1900 સેવાઓ સંચાલિત કરવામાં આવી હતી, જે ડિસેમ્બર, 2022માં વધારીને 167 રૂટ પર 2359 સેવાઓ કરવામાં આવી હતી.

  1. એમઆઈડીએચ - ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામઃ

ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (સીડીપી)ની રચના બાગાયતી ક્લસ્ટરોની ભૌગોલિક વિશેષતાનો લાભ ઉઠાવવા અને પૂર્વ-ઉત્પાદન, ઉત્પાદન, લણણી પછી, લોજિસ્ટિક્સ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પ્રવૃત્તિઓના સંકલિત અને બજાર-સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 55 બાગાયતી ક્લસ્ટર્સની ઓળખ કરી છે, જેમાંથી 12ને સીડીપીના પ્રાયોગિક તબક્કા માટે પસંદ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારની ભલામણના આધારે તમામ ક્લસ્ટર માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે. તમામ ૧૨ ક્લસ્ટરોનો ક્લસ્ટર ગેપ આકારણી અહેવાલને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કાર્યક્રમનાં અમલીકરણ માટે અમલીકરણ એજન્સીઓ (આઇએ)ની પસંદગી માટે તમામ 12 ક્લસ્ટર્સ માટે એક્સપ્રેશન્સ ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) બહાર પાડવામાં આવ્યા છે અને આ સંબંધમાં તેમની દરખાસ્તો અપલોડ કરવા માટે એપ્લિકેશન વિન્ડો ખોલવામાં આવે છે.

  1. કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમની રચના
  • જાન્યુઆરી, 2022 સુધી, વિવિધ નોલેજ પાર્ટનર્સ (કેપી) અને એગ્રિબિઝનેસ ઇન્ક્યુબેટર્સ (આર-એબીઆઇ) દ્વારા આખરે 799 સ્ટાર્ટ અપ્સની પસંદગી કરવામાં આવી હતી અને ડિસેમ્બર, 2022માં તેમની સંખ્યા વધીને 1055 સ્ટાર્ટ અપ્સ થઈ હતી. 
  • ડિસેમ્બર, 2022 સુધી, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મદદ સ્વરૂપે સંબંધિત કેપી અને આર-એબીઆઇને હપ્તામાં રૂ. 6317.91 લાખની ગ્રાન્ટ-ઇન-એઇડ છૂટી કરવામાં આવી હતી, જ્યારે જાન્યુઆરી, 2022માં તે 3790.11 લાખ હતી.

22. કૃષિ અને આનુષંગિક કૃષિ કોમોડિટીઝની નિકાસમાં સિદ્ધિ

દેશમાં કૃષિ અને સંલગ્ન ચીજવસ્તુઓની નિકાસમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. પાછલાં વર્ષ 2020-21ની તુલનામાં કૃષિ અને આનુષંગિક નિકાસ 2020-21માં 41.86 અબજ ડૉલરથી વધીને 2021-22માં 50.24 અબજ ડૉલર થઈ ગઈ છે એટલે કે 19.99 ટકાનો વધારો થયો છે.

પાછલા વર્ષની સરખામણીએ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવનારી મુખ્ય વસ્તુઓમાં ઘઉં 273.54 ટકા (567.93થી 2121.46 મિલિયન અમેરિકી ડૉલર), બાસમતી સિવાયના ચોખા 27.29 ટકા (4810.80થી 6123.82 મિલિયન અમેરિકી ડૉલર), કાચું કપાસ કચરા સહિત 48.43 ટકા (1897.21થી 2816.24 મિલિયન અમેરિકી ડૉલર), કેસ્ટર ઓઇલ 28.16 ટકા (917.24 ટકાથી 1175.51 મિલિયન અમેરિકન ડૉલર), અન્ય અનાજ 53.42 ટકા (705.38થી 1085.05 મિલિયન અમેરિકન ડૉલર), કૉફી 41.84% (719.66થી 1020.74 મિલિયન અમેરિકન ડૉલર), તાજાં ફળો 14.11% (768.54થી 876.96 મિલિયન અમેરિકન ડૉલર) છે.

 

એપ્રિલ-ઑક્ટોબર, 2022 દરમિયાન એગ્રી અને આનુષંગિક કોમોડિટીઝની નિકાસ 30.21 અબજ અમેરિકી ડૉલર હતી જે 2021-22ના સમાન ગાળામાં 26.98 અબજ અમેરિકી ડૉલર હતી એટલે કે 11 ટકાનો વધારો થયો હતો.

YP/GP/JD



(Release ID: 1886781) Visitor Counter : 1001