પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
प्रविष्टि तिथि:
28 SEP 2022 2:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા અને પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ (PMNRF)માંથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000ની સહાય પણ જાહેર કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"યુપીના લખીમપુર ખેરીમાં થયેલા અકસ્માતથી વ્યથિત. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય. PMNRF તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ @narendramodi"
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1862914)
आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam