પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી બિષ્ણુ ચરણ સેઠીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 19 SEP 2022 2:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના ઓડિશા એકમના નેતા શ્રી બિષ્ણુ ચરણ સેઠીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “શ્રી બિષ્ણુ ચરણ સેઠીજીએ ઓડિશાની પ્રગતિમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. તેમણે પોતાની જાતને એક મહેનતુ ધારાસભ્ય તરીકે ઓળખાવી અને સામાજિક સશક્તિકરણમાં ઘણું યોગદાન આપ્યું. તેમના નિધનથી દુઃખી થયો છું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1860540) Visitor Counter : 156