પ્રધાનમંત્રીનું કાર્યાલય

તુર્કી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆન સાથે એસસીઓ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાત

Posted On: 16 SEP 2022 11:05PM by PIB Ahmedabad

1. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક તુર્કિના રાષ્ટ્રપતિ, H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆનને 16 સપ્ટેમ્બર 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન મળ્યા.  

2. બંને નેતાઓએ ભારત-તુર્કી સંબંધોની સમીક્ષા કરી. આર્થિક સંબંધો, ખાસ કરીને દ્વિપક્ષીય વેપારમાં તાજેતરના વર્ષોમાં થયેલા વધારાની નોંધ લેતા, તેઓએ આર્થિક અને વ્યાપારી જોડાણોને વધુ વધારવાની સંભાવનાને સ્વીકારી.

3. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. બંને નેતાઓ માત્ર દ્વિપક્ષીય મુદ્દાઓ પર જ નહીં પરંતુ ક્ષેત્રના લાભ માટે પણ નિયમિત સંપર્ક જાળવવા સંમત થયા હતા.

સમરકંદ

16 સપ્ટેમ્બર, 2022

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1860035) Visitor Counter : 128