પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પ્રખ્યાત પુરાતત્વવિદ્ શ્રી બ્રજ બસી લાલના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 10 SEP 2022 3:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પુરાતત્વવિદ્ શ્રી બ્રજ બસી લાલના નિધન બાદ શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“શ્રી BB Lal એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ હતા. સંસ્કૃતિ અને પુરાતત્વમાં તેમનું યોગદાન અજોડ છે. તેમને એક મહાન બૌદ્ધિક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે આપણા સમૃદ્ધ ભૂતકાળ સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવ્યું. તેમના નિધનથી દુઃખી છું. મારા વિચારો તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ.”

YP/GP/JD



(Release ID: 1858317) Visitor Counter : 154