પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ લદ્દાખમાં બસ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો

Posted On: 27 MAY 2022 7:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં બસ દુર્ઘટનામાં ભારતીય સૈન્યના જવાનોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"લદ્દાખમાં બસ દુર્ઘટનાથી દુઃખી છું જેમાં આપણે આપણા સૈન્યના બહાદુર જવાનોને ગુમાવ્યા છે. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય આપવામાં આવી રહી છે."

SD/GP/JD



(Release ID: 1828846) Visitor Counter : 179