પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આગની દુ:ખદ ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
Posted On:
13 MAY 2022 11:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં લાગેલી દુ:ખદ આગને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે. અને આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 50,000 આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"દિલ્હીમાં દુ:ખદ આગને કારણે થયેલી જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."
પ્રધાનમંત્રી કાર્યાલયે કર્યું;
"PMNRF તરફથી 2 લાખ રૂપિયા દિલ્હીમાં આગમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે : PM @narendramodi"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1825284)
Visitor Counter : 194
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam