પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આગની દુ:ખદ ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો


PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 13 MAY 2022 11:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં લાગેલી દુ:ખદ આગને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે.  અને આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ  કર્યું;

"દિલ્હીમાં દુ:ખદ આગને કારણે થયેલી જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."

પ્રધાનમંત્રી કાર્યાલયે કર્યું;

"PMNRF તરફથી 2 લાખ રૂપિયા દિલ્હીમાં આગમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે : PM @narendramodi"

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1825284) Visitor Counter : 148