પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ રાજસ્થાનના ઝુંઝુનુમાં દુ:ખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ

Posted On: 19 APR 2022 7:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઝુંઝુનુમાં થયેલા દુ:ખદ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રીએ મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા અને રૂ. 50,000ની સહાય પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ (PMNRF)માંથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને માટે જાહેર કરી છે.   

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"ઝુંઝુનુમાં થયેલા દુ:ખદ અકસ્માતથી વ્યથિત. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય.

PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000: PM @narendramodi"

SD/GP/JD



(Release ID: 1818153) Visitor Counter : 193