પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પરોપકારી અને માનવતાવાદી બિલ્કીસ એધીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 16 APR 2022 6:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરોપકારી અને માનવતાવાદી બિલ્કીસ એધીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે માનવતાવાદી કાર્ય માટે તેમનું જીવનભરનું સમર્પણ વિશ્વભરના લોકોના જીવનને સ્પર્શે છે.
 
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
 
"બિલ્કીસ એધીના નિધન પર મારી નિષ્ઠાપૂર્વક સંવેદના. માનવતાવાદી કાર્ય માટેના તેમના જીવનના સમર્પણથી તેમણે વિશ્વભરના લોકોના જીવનને સ્પર્શ્યું. ભારતના લોકો પણ તેમને પ્રેમથી યાદ કરે છે. તેમના આત્માને શાંતિ મળે."

SD/GP/JD
 



(Release ID: 1817347) Visitor Counter : 188