પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુજરાતના ભરૂચમાં એક ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પીએમએનઆરએફ તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
પોસ્ટેડ ઓન:
11 APR 2022 2:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભરૂચમાં એક કારખાનામાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રીએ કાર્યાલયે ટ્વિટ કર્યું; "PM @narendramodiએ ભરૂચમાં એક ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેઓ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1815622)
મુલાકાતી સંખ્યા : 245
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam