પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના ભરૂચમાં એક ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પીએમએનઆરએફ તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

પોસ્ટેડ ઓન: 11 APR 2022 2:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભરૂચમાં એક કારખાનામાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ કાર્યાલયે ટ્વિટ કર્યું; "PM @narendramodiએ ભરૂચમાં એક ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેઓ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1815622) મુલાકાતી સંખ્યા : 245